SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ કર્મ-વિચાર ભાગ-૩ કોઈપણ કારણને લીધે અવાજ થયો. પણ તે કારણ કયું? તે નક્કી કરતાં વખત લાગે. તે વખતે કોઈ તીડ ઊડતું દેખું, તો અનુમાન બાંધી લઉં કે આ તીડ ઊડતું હશે, તેને લીધે અવાજ થયો. પરંતુ કંઈ ન દેખાય તો કંઈ નિશ્ચય ન કરી શકાય, અને વિચાર આગળ ચલાવવા પડે. અરે ! તીડ કે એવા કોઈ જંતુ કે પ્રાણી વિના પણ અવાજ તો થાય. પવનને લીધે થોરની ઉપરથી થોરનું ફળ કે બીજી એવી વસ્તુ પડે, કે અવાજ થવાનો સંભવ ગણી શકાય. હા, જી. એમ પણ બને. બસ, આ પ્રસંગે અવાજનું કંઈ પણ કારણ ચોક્કસ હોવું જોઈએ. એવું જ્ઞાન થયું તે દર્શનશક્તિને લીધે. વિચાર કરતાં, તપાસ કરતાં થોરની પછવાડે કંઈક તમને જણાયું. તે તમને હાલતું ચાલતું લાગ્યું. એટલે તમે જાણ્યું કે “કોઈ પ્રાણી હોવું જોઈએ.” થોડી વારે તમે વસ્ત્રનો છેડો જોયો. એટલે તમને માણસ જેવું જણાયું. ત્યાં તો તમારા મિત્ર જ હસતા હસતા તમારી સામે આવીને ઊભા રહ્યા. આ પ્રમાણે એક વાતનો નિશ્ચય કરતા પહેલાં આપણે કેટલાયે ખ્યાલો કરવા પડે છે. આ પ્રત્યેક ખ્યાલને આપણે ઉપયોગ એવું નામ આપીએ. આ પ્રત્યેક ઉપયોગમાં પ્રથમ ભાસમાન થતી વસ્તુ દર્શનશક્તિને લીધે, અને પછીનો વિશેષધર્મ ભાયમાન થાય. તે જ્ઞાનશક્તિને લીધે. વળી ખ્યાલ આગળ લંબાવો. પ્રથમ ભાસમાન થાય તે સામાન્યધર્મ, અને પછી ભાસમાન થાય તે વિશેષ ધર્મ. આમ ચાલ્યા કરે. દાખલા તરીકે “અવાજનું કંઈક કારણ હશે.” તે દર્શનશક્તિથી જાણ્યું. વળી ઉપયોગ આગળ લંબાયો. “કંઈક ચાલતું દેખાય છે, એટલે કોઈ પ્રાણી હોવું જોઈએ.” એ દર્શનશક્તિથી જાણ્યું.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy