SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું સ્વરૂપ ૧૭૯ જ્ઞાનશક્તિથી થાય છે. એ ખરું. પણ જેમ તે માણસમાં માણસ તરીકેનો સામાન્ય ધર્મ છે તે જ પ્રમાણે તે માણસ પ્રાણી પણ છે તો તેમાં સામાન્ય વિશેષ કયો ધર્મ? તમને જો પ્રથમ જોતાંની સાથે પ્રાણી તરીકેનું ભાન થાય, તો તમે પ્રાણી તરીકેનો ધર્મ દર્શનશક્તિથી જાણ્યો ગણાય અને મનુષ્ય તરીકેનો ધર્મ જ્ઞાનશક્તિથી જાણ્યો ગણાય. તેમ જ જો તમે પ્રથમ જોતાંની સાથે હિંદુસ્તાનનો રહેવાસી છે એમ જાણી જાઓ ને પછી તે બ્રાહ્મણ હશે કે નાગર, વણિક કે કણબી હશે ? એ વગેરે જાણનાર જ્ઞાનશક્તિ અને હિંદવાસી” એ જાણનાર દર્શનશક્તિ. સામાન્ય તે અમુક રીતે વિશેષ હોય, અને વિશેષ તે અમુક રીતે સામાન્ય હોય છે. પરંતુ, પ્રથમ જ્ઞાન વખતે જે પ્રથમ ધર્મ ભાસમાન થાય તે દર્શનશક્તિથી, અને પછી જે ધર્મ ભાસમાન થાય તે જ્ઞાનશક્તિથી. ધારો કે, તમે ફરવા નીકળ્યા છો. ફરતાં ફરતાં ઘણે દૂર નીકળી ગયા. જરા મોડું પણ થયું. તડકો ધીમે ધીમે તપવા લાગ્યો, પરસેવો વળવા લાગ્યો, થાક અને તડકાથી કંટાળી ઠંડી છાયામાં વિસામો લેવાની ઇચ્છા કરી. તેવામાં નજીક જ થોરની વાડનો ઠીક બેસી શકાય તેવો ઘાટો છાયો આવ્યો. તમે ત્યાં નિરાંતે બેસી ગયા. - પછી તમે આકાશ સામે, સામા રસ્તા સામે, સામેની ટેકરીઓ સામે, જતા આવતા મુસાફરો સામે અસ્તવ્યસ્ત નજર માંડતા જાઓ છો, અને તમારા જીવનના મનોરથોના તર્કને ઘોડે ચડી અનેક કલ્પનાઓ કરી મનથી અનેક કાર્યક્ષેત્રો વટાવતા જાઓ છો. તેવામાં એકાએક થોરની વાડ તરફથી કંઈક અવાજ તમારી તરફ આવ્યો. તમારો મનોરથ અટકીને ઊભો રહ્યો, ને તરત તમે વિચાર કરવા લાગ્યા કે–“આ થયું ?” “કંઈક અવાજ થયો.” એટલું તો કાને નક્કી કર્યું પણ “તે અવાજ કોણે કર્યો ?” તે નક્કી કરવા તમારું મન લલચાયું. તમે હવે શું નક્કી કરી શકો ?
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy