SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કર્મ-વિચાર ભાગ-૩ ને કંઈ ફેર તો દરેકમાં રહેવાનો જ. છતાં શક્તિઓને હિસાબે તપાસ કરીએ તો દરેક સરખા જ છે. પણ તેવી સરખી રીતે હોવાનું કદી બનતું નથી. વિચિત્ર વાત ! માટે જ આપણે આ પ્રકરણનું નામ “અંતરંગવિચાર” રાખ્યું છે. ૪. આત્મામાં જ્ઞાનશક્તિ છે. આ શરીર તે જડ છે. તેમાં કશું જાણવાની શક્તિ નથી જ. એટલે “આ મકાન” “આ ઝાડ' આવું જાણનાર તો શરીરમાં રહેલો આત્મા જ છે. એટલે તેમાં જ્ઞાનશક્તિ છે. ૫. આત્મામાં દર્શનશક્તિ પણ છે. વસ્તુનું સામાન્ય સ્વરૂપ જાણવાની શક્તિ માટે જૈનશાસ્ત્રકારો દર્શન શબ્દ વાપરે છે અને વિશેષ જાણવાની શક્તિ માટે જ્ઞાન શબ્દ વાપરે છે. આ હકીકત ન સમજવામાં આવી. ખુલાસાવાર સમજાવશો. જુઓ. આપણે જે જે વસ્તુઓ જોઈએ છીએ. તેનાં બે સ્વરૂપો છે : સામાન્ય અને વિશેષ. દાખલા તરીકે—કોઈ અજાણ્યો માણસ આવીને તમારી સામે ઊભો રહે, ત્યારે તમે તેને કયા નામથી બોલાવો ? અમે નામ ન જાણતા હોઈએ ને શી રીતે નામથી બોલાવીએ ? ત્યારે તમે તેને શું કહો ? પ્રથમ “કોઈક માણસ છે એટલું તો જાણીએ. પછી જયારે તેને બધું પૂછીએ કે-“ભાઈ ! ક્યાંના છો? ક્યાં જવાના છો? કેમ આવ્યા છો ? તમારું નામ શું છે? ગામ કયું? જાત કઈ? ધંધો કયો ?” ત્યારે માલુમ પડે કે આ અમુક નામના માણસ છે. તે પહેલાં શી રીતે જાણીએ ? બસ, ત્યારે એ માણસમાં માણસ તરીકેનો સામાન્ય ધર્મ, અને અમુક ગામનો, અમુક નામનો, અમુક જાતનો એ બધા વિશેષ ધર્મો. સામાન્યધર્મનું જ્ઞાન દર્શનશક્તિથી થાય છે અને વિશેષધર્મોનું જ્ઞાન
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy