SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું સ્વરૂપ ૧૭૭ ૨. પશુ, પક્ષી, મનુષ્ય, જંતુઓ, માછલાં, કીડા વગેરેની સંખ્યા જગતમાં કેટલી હશે ? તે શી રીતે ગણી શકાય. જો આપણે તે ગણી શકતા નથી. તો પછી આપણે ન જાણતા હોઈએ તેવાં પણ અનેક પ્રાણીઓ છે. તે બધાનો એક એક આત્મા ગણીએ તોપણ અનંત આત્માઓ થઈ જાય. ૩. દરેક આત્માને પોતપોતાના ગુણો સ્વતંત્ર હોય છે. જેવા એકમાં છે તેવા જ બીજામાં છે. છતાં તે તેના કરતાં જુદો છે અને છતાં સરખો છે. જેમકે એક ર૫) રૂપિયાની થોકડી લઈએ. તેમાં દરેક રૂપિયા એકેએક જુદા જુદા છે છતાં દરેક સરખાં છે. દરેકમાં સરખી છાપ, સરખો સિક્કો, સરખી વેલ, સરખો ગોળાકાર વગેરે વગેરે છતાં એકનો ગોળાકાર તેનો પોતાનો જ છે, બીજાનો તે નથી. એકની છાપ તે પોતાની જ છે. બીજાની બીજી છાપ છે, અને તેની છાપનો માલિક તે પોતે જ છે. તેવી રીતે આત્મામાં પણ સમજવું. આપ બધાને સરખા કહો છો તે શી રીતે ? આપણે બધાંયે ક્યાં સરખા છીએ ? તમે જે જુદાપણું જુઓ છો તે શરીરનું જુદાપણું જુઓ છો અને હું તો આત્માની વાત કરું છું. ત્યારે શું મારો અને આપનો આત્મા સરખો જ હશે ? ના. અત્યારે નહીં, પણ દરેક જાતના બીજા સંજોગોને લીધે ફેરફાર પામતો આત્મા બાજુએ રાખીને કેવળ તેનું શુદ્ધ સ્વરૂપ વિચારીએ તો હું કહું છું તે પ્રમાણે છે. ત્યારે એવા આત્માઓ હશે, કે જે કેવળ પોતાના બરાબર સ્વરૂપ પ્રમાણે હોય, અને દરેક સરખા જ હોય ? ના. તેવા દાખલા મળવા મુશ્કેલ છે. દરેકમાં કંઈ ને કંઈ ફેરફાર તો રહેવાનો જ. કોઈમાં કોઈ ગુણ ઢંકાયેલો તો કોઈમાં વળી બીજો ઢંકાયેલો, તેમ જ કોઈમાં અમુક ગુણ છૂપો તો કોઈમાં અમુક ગુણ જાહેર. એ રીતે કંઈ
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy