SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૧૩૧ પ્રવજ્યાં નિશ્રેષ્ટ પડ્યું રહે ? - ઉ0--ના, તેના ઉપર બંધની વ્યવસ્થા માટે બંધનકરણનો ઝપાટો ચાલુ હોય છે. પ્ર-પછી ? ઉ0-પછી, ગમે તેમ તે બીજા કોઈ પણ કરણના ઝપાટામાં આવે છે. પ્રવ-કરણની અસરથી શું થાય ? ઉo-બંધાયેલા કર્મમાં અનેક જાતના ફેરફાર થઈ જાય. પ્રવ-શા ફેરફાર થાય ? ઉ૦-સ્થિતિ તથા રસ ઘટી જાય, વધી જાય, પરસ્પર પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ, સંક્રમી જાય. ઉપશાંત થાય અથવા ઉદીરાય છે. બંધ વખતે ને પછી પણ નિદ્ધત કે નિકાચના પામે છે. પ્ર-પછી, ઉ૦-પછી, આ રીતે અબાધાકાળ પૂરો થાય, એટલે નિષેકકાળ શરૂ થાય. પ્રવ-અબાધા કાળમાં કર્મ નિશ્રેષ્ટ હોય ? ઉ0-ના, તેમાં ઉદયને લાયક તૈયારીઓ ચાલતી જ હોય છે. અને કરણોની અસર ચાલુ હોય છે. પ્રકરણ એટલે ? ઉ0-યોગસ્થાનક અને અધ્યવસાયસ્થાનકનું બળ. પ્રવ-આઠેય કરણનાં નામ અને કાર્ય સમજાવો. ઉ૦- બંધનકરણ : કર્મ બાંધે. સંક્રમણકરણ : કર્મને પરસ્પર સંક્રમાવે. ઉદ્વર્તનાકરણ : સ્થિતિ અને રસ વધારે. અપવર્તનાકરણ : સ્થિતિ અને રસ ઘટાડે. ઉદીરણાકરણ : વખત પૂરો થયા પહેલાં કર્મને ઉદયમાં લાવે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy