SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૧૪મો સંગ્રહ વિદ્યાર્થીઓ ! બીજો ભાગ પૂરો થવા આવ્યો છે, પરંતુ તેમાં સમજાવેલું બધું બરાબર યાદ છે કે ? હા. જી ! એમ? ત્યારે તો આજ નવો પાઠ બંધ રાખી, તમે કેવું યાદ રાખ્યું છે? એ જ તપાસીએ, તો કેમ ? ઘણું સારું. અમારી પણ એ જ ઇચ્છા છે. ઠીક, ઠીક. ત્યારે તો હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રી-કર્મ એટલે ? ઉ0-આત્મા સાથે ચોટેલી કાર્મણવર્ગણા. પ્રવ-આત્મા સાથે કામણવર્ગણા કેમ ચોટતી હશે? ઉ0-આત્મામાં યોગ ઉત્પન્ન થાય છે. તેથી આત્મા પોતાની જગ્યાએ રહેલી કાર્મણવર્ગણાને પોતાની સાથે મેળવે છે. પ્રવે-સાથે મેળવે છે.” એટલે શું? ઉ-આત્મા પર અસર કરે, તેવા સંસ્કાર, તે આવેલી કાર્મણવર્ગણામાં ઉત્પન્ન કરે છે. તેનો સંબંધ તો જૂનાં કર્મો સાથે થાય છે. પ્રહ-કાશ્મણવર્ગણા કર્મરૂપે કેમ બને છે? ઉતેમાં પરિણામ પામવાનો સંયોગ પામવાનો સ્વભાવ છે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy