SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ કર્મ-વિચાર ભાગ-૨ નિષેક વગેરે બતાવ્યાં છે. પરંતુ, બીજા દરેક કર્મને માટે સામાન્ય રીતે એ પ્રમાણે સમજી લેવાનું છે. એક વર્ષ અને એક મહિનાનો વખત પણ માત્ર સમજાવવાને માટે જ આપ્યો છે. હાસ્યકર્મનો સ્થિતિબંધ અને અબાધાકાળ ચોક્કસ કેટલા છે ? તે દરેકનો વિચાર કર્મના સ્થિતિબંધ અને અબાધા કાળના લિસ્ટમાં આવશે, ત્યારે ચોક્કસ સમજાશે. કેટલા કર્મની સત્તા હોય? ને કયા કર્મનો સત્તાકાળ કેટલો હોય? તે પણ આગળ ઉપર સમજાવીશું. સત્તા શબ્દનો શબ્દાર્થ નીચે પ્રમાણે થાય છે. અર્સ, હોવું ધાતુ + અત્ વર્તમાન કૃદંતનો પ્રત્યય. અસ ના શરૂઆતના અનો લોપ થાય છે. સદ્. સતોભાવઃ સત્ + તાસત્તા. ભાવ અર્થમાં તો પ્રત્યય લાગીને શબ્દ બને છે. તેનો અર્થ-વિદ્યમાનતા-હોવાપણું થાય છે. પ્રશ્નો ૧. કર્મ અને કાર્મણવર્ગણા એટલે શું. ? ૨. કર્મ નામ ક્યારે ગણાય? અને કાશ્મણવર્ગણા ક્યારે ગણાય ? ૩. સત્તા એટલે ? ૪. સત્તાં ક્યાં ? અને કોની ? પ. બંધમાં અને સત્તામાંની કર્મ સંખ્યામાં ભેદ પડવાનું કારણ શું? ૬. અમુક કર્મનો બંધ થયો હોય, છતાં તેની સત્તા ન હોય, એવું ક્યારે બને ? ૭. અમુક કર્મનો બંધ ન થયો હોય છતાં તેની સત્તા હોય, એવું ક્યારે બને? દાખલા સાથે સમજાવો. ૮. કર્મની સત્તા ક્યારથી શરૂ થાય? અને કયારે પૂરી થઈ ગણાય. ૯. સત્તા દરમ્યાન કર્મ ઉપર શા શા બનાવો થાય ? તે વિગતવાર સમજાવો. ૧૦. પહેલા ભાગમાં કર્મ વિશે મુખ્ય શું શીખ્યા? અને બીજા ભાગમાં મુખ્ય શું શીખ્યા ? તે ટૂંકામાં જણાવો. બીજી કઈ કઈ બાબતો વચ્ચે વચ્ચે સમજ્યા? તે પણ વિગતવાર જણાવી જાઓ જોઈએ. ૧૧. સત્તા શબ્દનો શબ્દાર્થ શો થાય? તે આવડતો હોય તો કહો.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy