________________
૧૨૨ કર્મ-વિચાર ભાગ-૨
છે. વાદળું બરાબર પાકી ગયું હોય છે. ભરપૂર પાણીથી ભરેલું કાળું જણાય છે, પરંતુ જ્યારે તે વરસવા–નિષેક કરવા માંડે છે ત્યારે એકીસાથે ઢગલો થઈ પડતું નથી. પણ શરૂઆતમાં એકદમ ઘણાં ફોરાંઓ જોસબંધ પડે છે, ને પછી પણ ફોરાં પડવાનો તે પ્રવાહ ચાલુ રહે છે. એમ ક્રમે ક્રમે વરસીને વાદળું ખલાસ થાય છે. તેમાં પ્રથમ વેગ વધારે હોય છે, ને ફોરાં પણ ઘણાં પડી જઈ, પાણી પણ વધારે પડે છે. પછી ધીમે ધીમે વેગ ઘટતો જઈ ઓછાં ઓછાં ફોરોને ઓછું ઓછું પાણી પડે છે.
આ વાત બરાબર ઘટતી નથી. કેમ ?
ઘણી વખત એવું જોવામાં આવે છે કે, એકાએક વાદળું ચડી આવી ફોરાં પડવા માંડે છે, પાછળથી થોડો વખત થયા પછી તેથીયે વધારે વેગમાં અને વધારે ફોરો પડવા લાગે છે.
તમારી વાત છે તો બરાબર પરંતુ જ્યારે પાછળથી વધારે ફોરાં પડવા માંડે છે, ત્યારે તેમાં બીજું વાદળું ભળેલું હોય છે, તે પણ તે વખતે સાથે વરસે છે, અથવા તેમાં પવનનો વેગ વધવાથી ફોરામાં ઉદીરણા થાય છે. એટલે આપણને વધારે પડતાં લાગે છે. પણ જ્યારે પ્રથમનું કે સાથે ભળેલું વાદળું એકલું વરસે, તો તે શરૂઆતમાં ઘણાં ફોરાંઓનો નિષેક કરે, અને પછી ધીમે ધીમે તેમાં ઘટાડો થતો જાય, માટે છેલ્લે ઓછાનો નિષેક કરે.
વરસાદનું દષ્ટાન્ત અહીં આખા વિષયમાં બહુ જ આબેહૂબ બંધબેસતું હોય, એમ જણાય છે.
નિષેક : વરસાદનો
કર્મનો ૧. સૂર્યના તાપથી પાણીના સ્કૂલમાંથી ૧. પરમાણુઓ અને પરમાણુઓના આકાશમાં ઊડી શકે કે, અધ્ધર ચડી બનેલા સ્કંધોમાંથી કર્મને યોગ્ય કાર્મણશકે તેવાં કેટલાક અને પરમાણુઓના વર્ગણાઓને યોગ અને અધ્યવસાયના સૂક્ષ્મ પરિણામ વરાળરૂપે તૈયાર થાય બળથી પોતાની તરફ ખેંચીને જીવ