SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ નિષેક અને ઉદયાવલિકા ૧૨૧ જથ્થાના સમૂહોનો આકાર ગોપુચ્છ—ગાયના પૂંછડા પ્રમાણે થાય છે. પહેલી ઉદયાવલિકાથી માંડીને છેલ્લી ઉદયાવલિકા સુધીના આખા નિષેકનો આકાર તપાસશો, તો ગોપુચ્છ જેવો જણાશે. શરૂઆતમાં પહોળો ગોળ અને છેવટે સાંકળો ગોળ જણાશે. ગોપુચ્છનો આકાર એ પ્રમાણે હોય છે. નિષેકની પહેલી ઉદયાવલિકામાં સૌથી વધારે પ્રદેશો આવે છે, પછી ઓછા ઓછા થતાં થતાં છેવટે ઘણા જ ઓછા થઈ જાય છે. તેથી, પ્રદેશના ઓછા વધતાપણાને લીધે ઉપર સૂચવેલો આકાર થાય છે. ૧. અનાજની કોઠીનું છિદ્ર ખૂલતાંની સાથે જ એકાએક અનાજ બહાર ધસી આવે છે, તેમાં પ્રથમ અનાજ ઘણું બહાર આવે છે, ને પછી ઓછું ઓછું આવે છે. ૨. દૂધનો ઊભરો પ્રથમ એકાએક આવે છે. ૩. નિશાળમાંથી નિશાળીઆ ટે છે, ત્યારે શરૂઆતમાં એકાએક મોટું ટોળું બહાર ધસે છે, પછી ધીમે ધીમે ઓછા થતા જાય છે, છેવટે થોડા રહે છે, ને છેવટે નિશાળનો ઓરડો ને ચોક ખાલી થઈ જાય છે. ૪. બંદૂકની નળીરૂપ અબાધામાંથી છૂટી થયેલી ગોળીનો વેગ પ્રથમ ઘણો હોય છે, પછી ધીમે ધીમે વેગ ઘટતો જાય છે. ૫. જેમાં પૂરો ગર્ભપાક થયો હોય, તેવાં વાદળાંમાંથી પાણીનાં ફોરાં પ્રથમ જેટલા જોસથી અને તેમાં વધારે પ્રમાણમાં પાણી પડે છે, તેના કરતાં પછી જોસ ઓછો હોય છે, અને પાણી પડવાનું પ્રમાણ પણ ઓછું થાય છે. નિષેક એટલે છાંટવું, સિંચવું, વરસવું અને તેનો એવો શબ્દાર્થ પણ બરાબર છે. નિ+સિગ્ ધાતુ (છાંટવું વગેરે) અર્થમાં. અ પ્રત્યય લાગીને નો લોપ. ઇનો એ. સ્ નો પ્. ફ્ નો ફ્ થવાથી નિષેક શબ્દ થયો છે, કર્મોનો ઉદય માટેનો વરસાદ. એકીસાથે બધાં કર્મો ઉદયમાં આવી જઈ એક જ ઉદયાવલિકા જેટલો નિષેક કેમ ન થાય ? તેનો ખુલાસો વાદળાંના દાખલાથી થઈ જાય
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy