SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ કર્મ-વિચાર ભાગ-૨ ચાલુ હોય છે. કોઈ કર્મ બંધાતાં હોય છે, કોઈ નિકાચિત થતાં હોય છે, કોઈ સંક્રમતાં હોય છે વગેરે વગેરે. આપની આ વાત માનવામાં કેમ આવે ? કેમ ન આવે ? એક જ કરણ બધાં કામ કરે, તે ઘટે જ કેમ ? હા, એક જ કરણ બધાં કામ કરે, અને તે બધાં કામો થાય પણ ખરાં, કૃપા કરી, તે સમજાવશો ? કેમ નહીં ? સમજાવવા તો બેઠા જ છીએ ને ? વાત બહુ ઝીણી છે. એટલે ધ્યાન પણ બહુ જ રાખજો, અને બુદ્ધિને પણ ઝીણી કરજો, એટલે બરાબર સમજાશે. ઘણી કૃપા. સાંભળો, ત્યારે : એ એક જ કરણમાં એવી વિચિત્ર શક્તિ હોય છે કે જેના-જેના ઉપર તેની અસર થાય, તેની તેની પોતાની પરિસ્થિતિ અને યોગ્યતા જુદી જુદી જાતની હોવાથી તેની ઉપર જુદી જુદી જાતની અસર થાય છે. આ વાત નીચેના દાખલાઓ ઉપરથી બરાબર સમજાશે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy