SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૭મો આઠ કરણો બંધન : નિદ્ધતિ : નિકાચના : સંક્રમણ : (૧) બંધુઓ ! કર્મબંધ કેવી રીતે થાય છે ? તેના મૂળ મુદ્દાઓ વિસ્તારથી પહેલા ભાગમાં, અને આ ભાગના ૬ઠ્ઠા પાઠ સુધીમાં આપણે સમજી ગયા. કર્મબંધ થયા પછી તેના ઉપર બીજા સમયથી શી શી ક્રિયાઓ થાય છે ? તે વિચારવાનું બાકી છે, તે હવે વિચારીશું. જેવી રીતે, એક સમયે કર્મબંધ થાય છે તેવી રીતે દરેક સમયે કર્મબંધ ચાલુ જ હોય છે, એ વાત ફરીથી કહેવી પડે તેમ નથી જ ને. ના, એટલે, પ્રથમ સમયે જે પ્રમાણે બંધ થાય છે, તેવી જ રીતે, બીજે સમયે પણ જેવું યોગસ્થાનક, અને જેવું અધ્યવસાયસ્થાનક, તેના પ્રમાણમાં પ્રદેશ વધતાઓછા, સ્થિતિ ને રસ વધતા-ઓછા, પ્રકૃતિઓ પણ વધતીઓછી હોય છે. એ ફરીથી સમજાવવું પડશે કે ? નહીં, નહીં જ. (૨) કોઈ પણ સમયે બંધ થતી વખતના યોગ અને અધ્યવસાયના એક સામટા બળની અસર જેમ તે જ વખતે બંધાતા કર્મ ઉપર થાય છે, તેવી જ રીતે પૂર્વે બંધાયેલાં કર્મો ઉપર પણ થાય છે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy