SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્ય આત્મપ્રદેશો સાથે... ૯૯ સપાટી છે, તેટલી બધી લીસી સપાટી ઉપર ચોંટવાને તેના જેવી જ લીસી અને ચીકણી વસ્તુ જોઈએ. કપડાની સપાટી અત્યન્ત લીસી ન હોવાથી તેના ઉપર રજ ચોંટે છે, પરંતુ આરીસાની સપાટી ઉપર તેવી રીતે ચોંટતી નથી. પણ ઘી ચોપડીએ, તો તેના રજકણો આરીસાની સપાટીને પણ ચોંટે છે. તે જ પ્રમાણે આત્માના પ્રદેશો ઉપર ચોંટવા માટે બહુ જ પ્રદેશોના જથ્થાવાળો ઘણી જ બારીક છતાં બહુ જ સૂક્ષ્મ, અને ખૂબ ચીકાશવાળી કાર્મણવર્ગણા જ ચોંટી શકે છે. અને એક એક પ્રદેશમાંના અનંત ગુણોમાંના એક એક ગુણના અનંત અનંત અંશોને ઢાંકવા માટે, તેના ઉપર અસર ઉપજાવવા માટે, અનંત અનંત પરમાણુઓની બનેલી કાર્યણવર્ગણાની જ જરૂર પડે છે. એ અનંત પરમાણુઓના સ્કંધો—પરમાણુમાં રહેલી ચીકાશ અને લુખાશ ગુણના અમુક પ્રમાણમાં મિશ્રણ થવાને લીધે એક પ્રકારનો રાસાયણિક સંબંધ ઉત્પન્ન થાય છે, તેને લીધે પરસ્પર બંધાય છે, અને એવા અનંત સ્કંધોની અનંત કાર્યણવર્ગણાઓ બને છે. તે ચીકાશ અને લુખાશ એ પરમાણુઓમાં રહેતા સ્પર્શગુણના પેટા ભેદો છે. તેની સાથે પરમાણુઓમાં રસરૂપ સ્વાદ પણ હોય છે, અને લાગણી-અધ્યવસાયને લીધે કર્મમાં રસ પણ ઉત્પન્ન થયો હોય છે. જેમ, નાટક જોવાથી મનમાં ગલગલિયાં થાય તેવો આનંદનો રસ છૂટે છે, અને વાઘ જોવાથી થથરાટ છૂટે તેવા ભયાનક રસનો અનુભવ થાય છે. તે પ્રમાણે કર્મો જીવનમાં કડવાશ અને મીઠાશ ચખાડે છે, તે કર્મોનો રસ કહેવાય છે. તેનું નામ રસબંધ કહેવાય છે. આ રસબંધ “કર્મ” એવું નામ પ્રાપ્ત કરતી વખતે આત્માની લાગણી-અધ્યવસાય પ્રમાણે નક્કી થાય છે. આત્મા અને કર્મનો સંબંધ દીવા આગળ આપણે હાથ રાખીને તેની આંગળીઓને જુદી જુદી રીતે ગોઠવીને સામે ભીંત ઉપર પડતા પડછાયામાં જોઈશું, તો આપણને
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy