SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ ૬ઠ્ઠો અસંખ્ય આત્મપ્રદેશો સાથે લાગેલી અનંતી કાર્મણવર્ગણાના દરેક સ્કંધમાં અનંતા પરમાણુઓ કેમ ? તમે રોટલી ઉપર રોજ શું ચોપડો છો ? માલૂમ છે ? હા, જી ! ઘી ચોપડીએ છીએ. એ ઘી ક્યાંથી આવે છે ? એ માખણમાંથી બને છે. ત્યારે માખણ ક્યાંથી મળે છે ? દૂધનું દહીં બનાવીને તેને વલોવી, ખૂબ મથ્યા પછી તે મળી શકે છે. દહીં બરાબર મથાય છે, ત્યારે જ જરાએ જરા માખણ છાશની ઉપર તરી આવે છે. તેને તાવે છે, એટલે તે ઘી રૂપમાં ચોખ્ખું આપણને મળી આવે છે. પણ, દહીંમાં એ માખણ આવ્યું ક્યાંથી ? તે દૂધમાં હોય જ છે. શી રીતે હોય છે ? તે સમજાવી શકશો ? માખણ કાઢી લીધા પછી ચીકાશ વગરના ધોળા કણો છાશરૂપે બાકી રહે છે. તેમાંથી પાણી સૂકવી નાંખીએ, તો ચૂનાના ભૂકા જેવો ધોળો ભૂકો મળી આવે. ત્યારે, દૂધમાં એ ધોળો ભૂકો, પાણી, અને ચીકણા માખણના
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy