SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ કર્મ-વિચાર ભાગ-૨ [3] ભાગલા ને પેટા ભાગલા પડી જવા, ને [4] જૂનાં કર્મના ભાગલા સાથે નવા ભાગલાની પોતાના સરખા સ્વભાવની વર્ગણાનું ચોંટી જવું. [5] દરેક ભાગલાના સ્વભાવોનો-ભવિષ્યમાં બજાવવાની કામગીરીનાં કાર્યોનો નિયમ થઈ જવો. એ વગેરે એક જ સમયે બને છે, અને ૩. અધ્યવસાયસ્થાનકના બળથી તે જ સમયે [1] દરેક ભાગલાના વખતનો નિયમ, ને [2] દરેક ભાગલાના સ્વભાવ-કાર્યના ફળની મર્યાદા-જુસ્સો-રસ, પણ નક્કી થઈ જાય છે. ૪. તે ચારેય થવાનું નામ કર્મબંધ કહેવાય છે. [1] યોગસ્થાનકો. [2] અધ્યવસાય સ્થાનકો. [3] કાર્મણવર્ગણામાં પડી જતા ભાગલાનું ધોરણ. [4] દરેક ભાગલાના સ્વભાવ-અધિકાર-સત્તા-કાર્યના નિયમોનાં નામો. [5] દરેક ભાગલાના વખતના નિયમનું ધોરણ, ને [6] દરેક ભાગલાના-૨સના-ફળના-નિયમનું ધોરણ વગેરે. ચોક્કસરૂપે આગળ ઉ૫૨ સમજાવીશું. ૫. આવી રીતે પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, રસબંધ અને સ્થિતિબંધ—એ ચારનું થવું, તે “બંધ” કહેવાય છે. અને તે સર્વ એક જ સમયમાં બની જાય છે. ૬. કોઈ વખતે “રસબંધ” નથી થતો, કારણ કે—તેવા પ્રકારનું અધ્યવસાય સ્થાનક ન હોય, તો રસબંધ ન યે થાય, માત્ર ત્રણ પ્રકારના જ બંધ થાય, ત્યારે તેનું નામ કેવળ, “પ્રદેશબંધ” કહેવાય છે. પ્રદેશબંધ વખતે પ્રકૃતિ ને સ્થિતિબંધ તો થાય જ.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy