SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 002 - උම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙහෙම સાહિત્ય પ્રકાશન સમજ અને સમાજના ઘડતરનું પ્રેરક પરિબળ છે. આજના કરાળ કલિકાળમાં ચો તરફ વેર-વાસના-વિપ્લવ આદિની જે વિકૃતિએ માઝા મૂકી છે. જીવન જીવવાની દિશા અને દશાથી માનવ છે સમૂહ વિખૂટો પડતો જઈ રહ્યો છે, ત્યારે સંસ્કાર-સંસ્કૃતિ-સદાચાર-ધર્મ- હું તીર્થરક્ષા-અહિંસા કાજે પ્રાણ પૂરે તેવા સાહિત્ય પ્રકાશનની આવશ્યકતા ૪ અતિ વધતી જાય છે. ધર્મને જીવનની મુખ્ય ધરી પર સ્થિર કર્યા પછી માનવ માત્રની છે પ્રગતિ સુનિશ્ચિત છે. વાસ્તવિક આધાર તરીકે જો કોઈ હોય, તો તે ધર્મ ને છે. માત્ર ધર્મ છે. આવા ધર્મને પ્રાણાંતે પણ જાળવવાની નેક અને ટેક પેદા થાય, તેવા શુભ-આશયથી પૂજ્યશ્રીની કામણગારી અને કસાયેલી કલમે કંડારાયેલ સાહિત્ય સિંધુમાંથી નાનકડા બિંદુઓ રૂપે આ પુસ્તકો પ્રકાશિત . કરતા અમારા અંતરનો આનંદ નિરવધિ બને છે. સાહિત્ય સર્જક પૂજ્યશ્રીનો આપણા સહુ ઉપર અમાપ ઉપકાર છે. આવું સુડ્ડ-સરળ-સાત્ત્વિક-રોમાંચક-રસાળ-બોધપ્રદ સાહિત્યલેખન કરીને પૂજ્યશ્રીએ વિશાળ વાચક વર્ગને ઋણી બનાવ્યો છે. સૂરિમંત્ર પ્રભાવક પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી છે મહારાજાના આચાર્યપદારોહણના ૨૫ વર્ષના શુભ-આલંબનને પ્રાપ્ત કરીને પૂજ્યશ્રી લિખિત ૨૫ પુસ્તકોનું એક સાથે પ્રકાશન કરવાનો જે 9 પુણ્યલાભ અમને પ્રાપ્ત થયો છે, તેથી અમો ધન્યતા અનુભવીએ છીએ. શંખેશ્વર તીર્થના પ્રવેશદ્વાર સમા પ્રવચન શ્રતતીર્થનાં પ્રાંગણે 8 ચતુર્મુખ જિનાલયની પ્રથમ સાલગીરી ઉત્સવ દરમ્યાન સૂરિપદ રજત વર્ષ છે દિન વૈશાખ સુદ-૬ની પાવન ઘડીએ પ્રગટ થતા આ સાહિત્ય સંપુટના ૪ શ પ્રકાશન કાર્યમાં પૂજ્યશ્રીના શિષ્ય પરિવારરૂપ શ્રમણ-શ્રમણી ભગવંતોના છેસુંદર સહયોગ પૂર્વક અમારા સંસ્થાના માર્ગદર્શક હૃદયસ્પર્શી પ્રવચનકાર છે પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય યુગચન્દ્રસૂરિજી મહારાજાના સદુપદેશથી જે # ગુરુભક્તો-શ્રુતભક્તો ઉદારદિલે લાભાન્વિત બન્યા છે, તેની આ તકે છે. હાર્દિક અનુમોદના કરીએ છીએ. સેંકડો હાથોમાં શોભાવતા આ સાહિત્યને હજારો હાથોમાં રમતું શું છે કરવા આપ સહુ વાચકોના સહકારની સદાય અપેક્ષા સાથે... ගියෙමමමම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙම‍ෙමම‍ෙම‍ෙම‍ෙමමමමමමම‍ෙමමමමම‍ෙමම લિ. પંચપ્રસ્થાન પુચરકૃતિ પ્રકાશન વતી હું રમેશ રીખવચંદ સંઘવી - સુરત
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy