________________
દંડનાયક વિમલના આ સર્જનને પ્રતિષ્ઠા-પ્રસંગે એકઠી થયેલી લાખોની મેદનીએ ‘વિમલવસહી' તરીકે વધાવી લીધી. આ ‘વિમલવસહી’ને આબુના સ્થાનિક સંઘને સમર્પિત કરવા ઉપરાંત દંડનાયક વિમલે ત્યાં ઘણા ઘણા પોરવાડ શ્રાવકોને પણ વસવા માટે પ્રોત્સાહિત કર્યા, તેમજ ‘વિમલવસહી’નું સંચાલન સુંદર રીતે થયા જ કરે ને દેવદ્રવ્યાદિની વૃદ્ધિને જરાય આંચ ન આવે, એ માટે આસપાસનાં કેટલાંય ગામોની ઊપજ આ તીર્થ ખાતે અર્પણ થતી રહે, એવી વ્યવસ્થા કરાવીને એને દંડનાયકે શિલાપટ્ટો દ્વારા ચિરંજીવી કરાવી.
આબુનો એ ગિરિપ્રદેશ ધરતીકંપની શક્યતાવાળો હોવાથી ‘વિમલવસહી’નાં મંદિરો સાવ બેઠા ઘાટનાં બનાવાયાં હતાં. તેમજ અનાર્ય-આક્રમણોની નજરમાંથી એ મંદિરો હાથતાળી દઈને છટકી જઈ શકે, એ માટે બહારનો એનો દેખાવ સાવ સામાન્ય પસંદ કરાયો હતો, બહારથી શ્રીફળ અને દાડમની જેમ સામાન્ય જણાતા એ મંદિરોની અંદર તો દાડમની કળી જેવી કળા અને નાળિયે૨ જેવી દૂધમલતાનો વાસ હતો. વસતિનો જ પર્યાયવાચી શબ્દ વસહી છે, જેને વિમલે વસાવી અથવા જ્યાં વિમલતાનો જ વાસો હોય છે, એ વિમલવસહી !
‘વિમલવસહી’ આજે પણ ‘વિમલવસહી' જ છે. જેમ ચંદ્રથી રાત, રાતથી ચંદ્ર અને ચંદ્ર તેમજ રાતથી આકાશ શોભે; મણિથી વીંટી, વીંટીથી મિણ અને મણિ તેમજ વીંટીથી આંગળી અલંકૃત બને, બરાબર આ રીતે જ્યાં વેરાયેલી કળાથી મંદિર, મંદિરથી એ કળા અને કળા તેમજ મંદિરથી ‘અર્બુદાચલ’ તીર્થ તરીકે આજ સુધી વધુ ને વધુ પ્રસિદ્ધિ-સમૃદ્ધિ પામી જ રહ્યું છે. આ ‘વિમલવસહી'ને પગલે પગલે પછી તો બીજીય ‘વસહી’ઓ આબુ પર અવતરી, પણ પ્રેક્ષક આજેય બોલી ઊઠે છે કે, ભાઈ ! વિમલવસહી તો વિમલવસહી જ છે ! સાગરની અસીમતા અને આકાશની અગાધતા જેમ અનાદિ કાળથી અનુપમેય રહી છે, એની ઉપમા ન જડતાં અંતે થાકીને કહેવું પડે છે કે, સાગર તો સાગર જેવો જ છે ને આકાશની અગાધતા પણ આકાશ
મંત્રીશ્વર વિમલ
૦ ૨૭૫