SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારપાળ બધા ચારણોને લઈને મહેલના મધ્ય ખંડમાં બેઠેલાં શ્રીદેવી પાસે પહોંચ્યો. પરિચય આપતાં એણે કહ્યું : આ બધા પરદેશથી આવ્યા છે. આ સરસ્વતીપુત્રો દંડનાયકની કીર્તિ સાંભળીને એમનાં દર્શન કરવા ઉત્સુક છે. બધા ચારણો શ્રીદેવીને જોઈ જ રહ્યા. રૂપમાં એ અજોડ હતાં. પ્રભાવમાં એ અજોડ હતાં. એમણે આવકાર આપતાં કહ્યું : પધારો, સરસ્વતીપુત્રો ! પધારો. આપ બધા તો શબ્દોના સોદાગર અને કાવ્યના કોણાધિપતિ ગણાવ ! આ મહેલને જરાય પરાયો ન માનતા. થોડા દિવસ અહીં રહો અને ચંદ્રાવતીને નિહાળો. ત્યાં સુધીમાં તો એઓ પધારી જશે અને દર્શનના તમારા મનોરથ સફળ થશે. ચારણો માટે અતિથિગૃહના દ્વાર ખુલ્લા કરી દેવાયાં. કોઈ મહેલમાં ઉપલબ્ધ ન હોય, એટલી સગવડો એ અતિથિગૃહમાં હતી. પાણી માગો ને દૂધ હાજર થાય, દૂધ માગતાં દૂધપાકના પ્યાલા લઈને સેવકો ખડા થાય, એવી અતિથિસત્કારની ભાવનાનો પ્રભાવ જ્યાં પગલે પગલે અનુભવાય, એવા એ અતિથિગૃહમાં પ્રવેશતો ચારણસંઘ જાણે જાતને સ્વર્ગમાં પ્રવેશતો અનુભવી રહ્યો. પાનથી માંડીને સ્નાન સુધીની એવી એવી કીમતી સગવડો ત્યાં ઉપલબ્ધ હતી કે, જેના દર્શને બધા ચારણો મોંમાં આંગળાં નાખી ગયા. મધ્યાહ્નના સમયે પાંચસો બાજોઠ એક જ પતંગમાં ઢળાયા અને બધા ચારણોને એકી સાથે ભોજન માટે આમંત્રણ અપાયું, ભોજનગૃહની સ્વચ્છતા-વિશાળતા જોઈને સૌ છક્ક થઈ ગયા. બત્રીસ પકવાન અને તેત્રીસ શાકનાં એ ભોજનિયાં શ્રીદેવીએ જાતે એવા પ્રેમથી પીરસ્યાં કે, ચારણોને સગી મા કરતાં સવાયા વાત્સલ્યનું દર્શન શ્રીદેવીમાં થઈ રહ્યું. ભોજનિયાં તો મીઠાં હતાં જ. પણ આવકાર અને અતિથિસત્કારની ભાવના તો એટલી બધી મીઠાશ ધરાવતી લાગી કે જેને મૂલવવા કોઈ ઉપમા ચારણોને જડતી નહોતી. જમીને એ ચારણ-સંઘ આડો પડ્યો. આજે જાણે સદેહે. સ્વર્ગમાં સંચરવાનું સૌભાગ્ય જાગ્યું હોય, એવી અનુભૂતિ કરતા તેઓ મંત્રીશ્વર વિમલ 25 ૨૬૫
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy