________________
દંડનાયક વિમલે કહ્યું ! વાલીનાહ ! તમે બત્રીસ લક્ષણાનો ભોગ માંગીને જ પ્રસન્ન થવાની હઠ ધરાવતા હો, તો અમે દંપતી અત્યારે ને અત્યારે બલિ બની જવા તૈયાર છીએ ! હું વણિક છું, માટે જ વીર છું અને એથી જ લોહી-માંસનું તર્પણ કરવા તૈયાર છું, પણ એ લોહીમાંસ અન્યનાં નહિ, મારાં પોતાનાં ! બોલો, આવા તર્પણની તમને અપેક્ષા છે? હવે મને તરત જ જવાબ જોઈએ : કાં મારું આ જાતનું તર્પણ સ્વીકારી લો, કાં મારા દ્વારા લેવાયેલી બલિ-બાકળા અને માલમિષ્ઠાન્નની આ પૂજા સ્વીકારી લઈને પ્રસન્ન બની જાવ ! આ પળે જ આ પ્રશ્નનો જવાબ મારે જોઈએ.
વાલીનાહના મનની સ્થિતિ વિચિત્ર વાળાંક લઈ રહી હતી. એ વિચારી રહ્યો કે, વણિક હોવા છતાં આ કેવો વીર છે કે, જે દેવનગરીના પાયાને પોતાના જ લોહી-માંસથી સિચી સિંચીને મજબૂત બનાવવાની બહાદુરીથી સભર છે. આવું તર્પણ હું સ્વીકારું, તો એ મહાદેવીઓ સાથે મારે મુકાબલો કરવો જ પડે. અને એમાં કારમી હારનો ભોગ બનતાં મારું રક્ષણ કરે એવી તો કોઈ શક્તિ અને સ્વપ્નેય દેખાતી નથી. આવા વિચારથી વિનમ્ર બની જઈને વાલીનાહે કહ્યું :
દંડનાયક વિમલ ! સાચેસાચ તમારા તર્પણને સ્વીકારવાનું મારામાં સામર્થ્ય નથી ! તમારી બલિબાકળાની પૂજાથી જ પ્રસન્ન થવા હું વચનબદ્ધ બનું છું. આજે આનંદ છે કે, દેહધારી એક વીરતા સાથે મારી મિત્રાચારી બંધાય છે. તમે તો વણિક હોવા છતાં વીરોના પણ વિર મહાન વીર છો.'
વાલીનાહ પ્રસન્ન બનીને વિમલ પર વરદહાથ ફેલાવી રહ્યો. વિમલે કીમતી બલિબાકળા ને મોંઘા માલ મિષ્ટાન્ન ધરીને વાલીનાહની એ પ્રસન્નતામાં કેઈ ગણો વધારો કર્યો, એ મધરાત વાલીનાહ અને વિમલના અંતરમાં પ્રસન્નતાનો ઝગારા મારતો પ્રકાશ પાથરવામાં નિમિત્ત બની ગઈ. મંત્રીશ્વર વિમલ ર૦ ૨૫૯