SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ જોતજોતામાં તો ભૂમિનો એક ખાસ્સો મોટો વિસ્તાર સુવર્ણમહોરોથી આચ્છાદિત થઈ ગયો. જ્યાં મંદિરનાં સર્જન થવાનાં હતાં, એ ધરતીને જાણે સુવર્ણથી પૂજવામાં આવી હોય, એવો એ અદ્ભુત દેખાવ હતો ! વિશાળ ધરતી સુવર્ણ-મુદ્રાઓથી આચ્છાદિત થઈ ગઈ. દંડનાયક એને જોઈ જ રહ્યા. હજી તો સુવર્ણ મુદ્રાઓનો એક મોટો ઢગલો એમ ને એમ પડ્યો હતો. દંડનાયકે એ ભૂમિનું બરાબર નિરીક્ષણ કરી લીધું. અને પછી ભૂદેવો તરફ જોઈને એઓએ કહ્યું : મારે મન આ સુવર્ણ-મુદ્રાઓથીય જે વધુ કીમતી છે, એ ધરતીનું સ્વામીત્વ હું સ્વીકારી લઉં છું. ને સુવર્ણમુદ્રાઓનું સ્વામીત્વ તમને સુપરત કરું છું. બ્રાહ્મણો માટે તો આજે જાણે સોનાનો મેઘ મન મૂકીને વરસ્યો હતો. એમણે સુવર્ણાચ્છાદિત એ ધરતીને માપી, દંડનાયકે ઘણી જ વિશાળ ધરતીને સોના સાટે ખરીદી હતી. બ્રાહ્મણો વિચારી રહ્યા કે, જે વિમલે માત્ર જમીનમાં જ આટલા કરોડ નાંખ્યા, એ મંદિરોમાં તો કેટલા બધા નાખશે ! આની કલ્પના કરતા જ એમની આંખે અંધારાં આવવા માંડ્યા અને આવા જિનભક્ત-દંડનાયકની કીર્તિગાથા ગાતા ગાતા સૌ વિખરાયા. (દંડનાયક વિમલે ‘વિમલવસહી’ના નિર્માણમાં અઢાર કરોડ ત્રેપન લાખ રૂપિયાનો સદુપયોગ કર્યાની વિગત ઇતિહાસમાં મળે છે. એક સોનામહોરની કિંમત ૨૫ રૂપિયાની ગણીએ, તોય માત્ર ચાર કરોડ, ત્રેપન લાખ, સાઠ હજાર રૂપિયામાં તો માત્ર જમીનની ખરીદી જ થઈ ! એથી આબુનાં એ દુર્ગમ-શિખરો પર કલા-કારીગરીથી ભરપૂર ‘વિમલવસહી’ના નવનિર્માણ પાછળ કુલ ૧૮ કરોડ, ૫૩ લાખનો સદ્નય અસંભવિત ન ગણાય.) દંડનાયક વિમલે મંદિરોના નિર્માણ કાજે જે ધરતી પસંદ કરી હતી, એની પાછળ એમણે ખૂબ જ દીર્ઘદૃષ્ટિ દોડાવી હતી. ચારેબાજુ નાનાં-મોટાં ગિરિશિખરો વચ્ચે સુરક્ષિત અને નજીક ગયા પછી જ જેની મંત્રીશ્વર વિમલ ૨૪૯
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy