________________
ભોજે કહ્યું : મહારાજ આ ચોરાશી ચૌટાઓનું તો મેં જ અલગ અલગ નિર્માણ કરાવ્યું છે, જેથી લોકો પોતપોતાની રુચિ મુજબ સહેલાઈથી માલ ગ્રહણ કરી શકે. લોકોની રુચિ હંમેશા જુદી જુદી હોય છે, એથી અલગ અલગ ચૌટા-દુકાનોની એકતા કઈ રીતે થઈ શકે?
શ્રી સૂરાચાર્યજી માટે ધારેલો જ જવાબ આવ્યો હતો, એથી વળતી પળે આ જ જવાબ ભોજને પાછો સોંપતાં એમણે કહ્યું : રાજન્ ! તો ધર્મોમાં પણ આ જ ન્યાય સમાન છે. જો હજી થોડાં વર્ષો પહેલાં જ નિર્માણ પામેલા આ ચૌટાઓની એકતા શક્ય નથી, તો પછી કેટલાય કાળથી ચાલ્યાં આવતાં આ પદર્શનોનો એક જ ધર્મમાં સમાવેશ કઈ રીતે શક્ય બને ? કારણ કે લોકોની રુચિ હંમેશાં જુદી જુદી જ હોવાની ! કોઈ દયાના અર્થી હોય, તો કોઈ રસનાના રસના લોલુપી હોય, તો કોઈને વ્યવહાર સાથે ઝાઝો પ્રેમ હોય, એથી આવા લોકો પોતાના રસ મુજબ જૈન, કૌલ અને વેદ આદિ દર્શનોનો આશ્રય કરવાના. હવે આપ જ કહો, બધાની રુચિ અલગ અલગ હોય, ત્યાં સુધી આ દર્શનોની પણ વિભિન્નતા કોણ ટાળી શકે ? મોક્ષનું સાચું સ્વરૂપ સમજીને, બધા જ્યારે “મોક્ષરૂચિ ધરાવનારા બની જશે, ત્યારે પડ્રદર્શનો પણ સાચા દર્શનમાં ભળી જશે.
રાજા ભોજના મનનું સચોટ સમાધાન થઈ ગયું અને છએ છ દર્શનવાળા સભ્યો રાજી બની ગયા. ત્યાં તો કોઈએ પૂછ્યું : આ સ્યાદ્વાદ તે કંઈ વાદ છે ! વિપરીત માન્યતાઓના શંભુમેળા તરીકે એથી જ તો સાદૂવાદની સુપ્રસિદ્ધિ છે. એક જ ચીજમાં નિત્યત્વઅનિત્ય જેવા વિરોધી ગુણોને સમાવવાની વિચિત્ર શક્તિનો જેવો દાવો સાદ્વાદ ધરાવે છે, એવો તો કોઈ ધરાવતું નહિ હોય?
વ્યવહારને આગળ કરીને આ કટાક્ષનો જવાબ આપતાં શ્રી સૂરાચાર્યજીએ કહ્યું : રાજન્ ! સમજવા જેવી આ વાત છે. કારણ કે ઘણાં ઘણાં દર્શનોના દિગ્ગજ વિદ્વાનો પણ આ સ્યાદ્વાદને સમજવામાં
૧૪૦
આબુ તીર્થોદ્ધારક