________________
હતા. વિમલને દંડ મળે, એવી બાજી ગોઠવીને, સોગઠીનાં ધાર્યા દાવ નાખવામાં સફળતા પામ્યાનો ગર્વ પોતે લઈ શકે, એવી મનપસંદ પરિસ્થિતિના નિર્માણમાં વિમલ પોતે નિમિત્ત બન્યો હતો, ત્યાં એકાએક જ આખી એ બાજી ઊંધી વળી ગઈ અને બધા પાસાઓએ પારોઠનાં પગલાં ભર્યા અને જોર કરી ગયેલા ભાગ્યે વિમલને દંડનાયકનું પદ આપી દીધું ! દામોદર મહેતા દાંત કચકચાવીને થોડી વાર સુધી તો ગણગણી રહ્યા કે, શું દંડના અધિકારીને દંડનાયકનું પદ ! મેં કેવી આબાદ બાજી ગોઠવી હતી. મારા પાસા પણ કેવા સવળા પડતા હતા. પણ એના ભાગ્યનો દીવો ઝગમગતો લાગે છે, એથી જ દંડને બદલે દંડનાયકનું પદ ખાટી ગયો ! પણ કંઈ વાંધો નહિ, ફરી વાર બાજી માંડવાનું બળ મારા બાવડામાં છે, બુઝાવાની પળે પણ દીવો ક્યાં ઓછો ઝગમગે છે ! વિમલના ઝગારા આવા કેમ ન હોય ?
છેલ્લા બે ત્રણ દિવસોમાં અણહિલપુર પાટણમાં જે કોઈ બનાવો બન્યા હતા, એની ખુશાલી તમામ પ્રજા અનુભવી રહી હતી. શસ્ત્રસ્પર્ધાના એ દિવસની સમી સાંજે જે સાંઢણી-સવાર પાછો ફર્યો હતો, એના મોં પર પણ અગણિત આશ્ચર્ય ને આનંદ હતો, એણે રાજા ભીમદેવને કહ્યું : મહારાજ ! બરાબર એ જ વડલા પાસે જઈને હું ઊભો રહ્યો ! બાણનું સ્થાન શોધતાં મને વાર ન લાગી, એ વડલાની સાવ ઠૂંઠા જેવી બની ગયેલી એક શાખામાં આ બાણ એટલું બધું અંદર ખૂંપી ગયું હતું કે, એને બહાર ખેંચી કાઢતાં મારાં બાવડાં રહી ગયાં ! આવો બાણાવળી તો કદી નિહાળ્યો નથી. મહારાજ ! આપે એને શિરપાવમાં શું આપવાનું નક્કી કર્યું ? પહેલાં આપે દંડ આપવાનો વિચાર કર્યો હશે, પણ હવે એમાં એક “નાયક' શબ્દ ઉમેરી દેવાની મારી વિનંતી છે.
જવાબ વાળતાં ભીમદેવે કહ્યું : મારા અંતરનો અભિપ્રાય જાણી જઈને દંડનાયક તરીકે વિમલકુમારને પ્રજાએ આજે એવા સાદે વધાવી મંત્રીશ્વર વિમલ ૨ ૩