________________
વાતની ખાતરી વળી કોઈ દહાડો આપીશ. પરંતુ આજે તો આટલું જ બસ છે !
ભીમદેવને થયું કે, આવા અતુલ બળનો અને આવી અમૂલ કળાનો માલિક આ વિમલકુમાર જો મારો દંડનાયક હોય, તો પછી કઈ તાકાત ગુર્જર રાષ્ટ્રના વિજયને હરણફાળે આગે બઢતાં રોકી શકે ? ભીમદેવ જેટલા પ્રમાણમાં ખીજ્યા હતા, એથી કંઈ ગણા વધુ પ્રમાણમાં આજે હવે એઓ વિમલ પર રીઝયા હતા. એથી એમણે કહ્યું : વિમલકુમાર તમને ઇનામ-અકરામમાં આપવા જેવી મારી પાસે જો કોઈ યોગ્ય ચીજ હોય, તો તે છે દંડનાયકનું પદ ! માટે....
ભીમદેવ આગળ કંઈ બોલે તે પૂર્વે તો પ્રજાએ ગગનના ગુંબજને ભરી દેતા વિરાટ સાદે વિમલનો વિજયનાદ ગજવ્યો :
દંડનાયક વિમલકુમારનો જય હો
મંત્રીશ્વર વિમલ
છ ૯૧