________________
૩ : જૈનદર્શન- શ્રેણી : ૩-૪ મહાવીર જૈન મિશન છે. તેની શાખાઓ લોસ એન્જલિસ,
હા, લંડન, બર્મિંગહામ, દિલ્હી એમ અનેક સ્થળે છે. નવકારમંત્રમાં તેઓ અતૂટ – અખંડ શ્રદ્ધા ધરાવે છે. અહમ મંત્રના ઉપાસક છે. બાળકો અને મેટેરાંઓ માટે યોગકેમ્પનું આયોજન કરે છે અને મંત્ર દ્વારા ચિત્તશાંતિને મહિમા ફેલાવે છે. તેઓ રાજકીય ક્ષેત્રે પંજાબના શીખોના પ્રશ્નોમાં રસ લઈને વચગાળાના મધ્યસ્થી તરીકે સમજૂતી સાધવાના પણ પ્રશંસનીય પ્રયત્ન કરે છે.
અમેરિકા અને કેનેડામાં જૈન ધર્મ
આ સદીમાં પાંચમા, છઠ્ઠા અને સાતમા દાયકામાં ભારતથી ઘણા જૈન વિદ્યાથીઓ અને ગ્રેજ્યુએટો અમેરિકા ગયા. આમાંના મોટાભાગના ત્યાં આગળ અભ્યાસ કરીને સ્થિર થયા. ઘણું ગ્રેજ્યુએટ ભારતમાં જ ડોકટર, એન્જિનિયર, ફાર્મ સીસ્ટ થયા હતા અને અમેરિકામાં સારા પગારની નેકરીની આશાએ ગયા હતા. પૂર્વ આફ્રિકાથી પણ થોડા મૂળ ભારતવાસી જૈને ત્યાં ગયા. આમ અમેરિકામાં જૈનધમી લેકે આવી વસ્યા. આ સંખ્યા અત્યારે તે ૩૦ થી ૩૫ હજારની છે. બ્રિટનમાં ૨૫ થી ૩૦ હજાર જૈને છે. અમેરિકાના જૈનેમાં ગુજરાતીઓ સવિશેષ છે. ભણેલાઓમાં એન્જિનિયરોની સંખ્યા વધારે પ્રમાણમાં છે.
અમેરિકા-કેનેડામાં સ્થાયી થયેલા જૈનમાં મૂળ ભારતીય તથા જૈન સંસ્કારે તે હતા જ, પરંતુ શરૂઆતનાં વર્ષોમાં