________________
પરદેશમાં જૈન ધર્મ : 13 નવનાત વણિક એસેસિએશન
માત્ર જેને જ નહીં પરંતુ વણિક જ્ઞાતિના સહુ કેઈને સાંકળી લેતી સંસ્થા નવનાત વણિક એસિએશન છે. પૂર્વ આફ્રિકામાં વણિકભાઈ એની સંસ્થા ચાલતી હતી અને હજીયે ચાલે છે. પૂર્વ આફ્રિકાના અનુભવો પરથી બ્રિટનના વણિકે માટે પણ લંડનમાં નવનાત વણિક એસોસિએશનની સ્થાપના ૧૩–૯–૧૯૭૦ના રોજ કરવામાં આવી હતી. આ સંસ્થા માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના સામાજિક કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. આ કાર્યક્રમોમાં જૈન તથા હિંદુ તહેવારે, સાડી હરીફાઈ, રંગેની હરીફાઈ વગેરે જાય છે.
સંસ્થાએ પિતાનું મકાન હૈમાં ખરવું છે. આ મકાનને ૩૦ જાન્યુ, ૧૯૮૪ના દિવસે કબજે મળ્યું હતું. આ મકાન જ સંસ્થાનું મુખ્ય પ્રવૃત્તિકેન્દ્ર છે. નવનાત-ભવનના નામથી ઓળખાતા આ મકાનમાં નીચે હોલ છે, જ્યાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કાર્યક્રમો થાય છે. ઉપરના રૂમમાં હિંદુ તથા જૈન સંયુક્ત મંદિર છે. અહીં મહાવીરસ્વામી, રામકૃષ્ણજાનકી, કૃષ્ણ-રાધા તથા અંબિકાદેવીની મૂર્તિઓ રાખવામાં આવી છે. હિંદુ તથા જૈન ધર્મના સહ-અસ્તિત્વનું આ મંગળ ઉદાહરણ છે. વડીલો નિયમિત સત્સંગ-સ્વાધ્યાય કરે છે.
સંસ્થા દ્વારા ગુજરાતીના વર્ગો પણ ચલાવાય છે. સંસ્થાનું પોતાનું માસિક “નવનાત-દર્પણ” બહાર પડે છે. નવનાત-દર્પણ”માં પાત્ર પસંદગીની કૉલમ લગ્નવિષયક સેવાઓ