________________
પ્રભા]
ચાર પ્રકારના યોગનું વર્ણન
૭૩.
વર્ષ સુધી નિયમિત રીતે અભ્યાસ કરવાથી શરીરમાંની નાડીઓમાં ને શિરાઓમાં જે યાતનામના પ્રાણનું વ્યાપકપણું છે તેને પ્રાણમાં નિરોધ થવા લાગે છે, અને ઉદાન સહિત પ્રાણ નાભિપ્રદેશઆગળ સમાન તથા અપાન સાથે એકત્ર થઈ કુંડલિનીનું ઉત્થાન કરે છે. એ કુંડલિનીનું ઉત્થાન થવાથી તે કાલે તૈજસની બાહ્યપ્રવૃત્તિ બંધ પડે છે, અને તે મરદંડના અધોભાગમાં જે આધાર નામે ચક છે તેમાં પ્રવેશ કરે છે. તેમની બહિઃપ્રવૃત્તિ કરાવનાર સાડા ત્રણ આંટાવાળી નાભિઆગળ જે સૂક્ષ્મ તાડી રહેલી છે તેને કંડલિની કહે છે. તેનો આકાર સપિણી જેવો છે, અને સ્થૂલભેગની વાસનારૂપી ઝેર તેના મુખમાં રહેલું છે. સ્થૂલભેગની વાસનાથીજ તૈજસનું વિશ્વસ્વરૂપ થાય છે. સુષુમ્મુનાડીમાંની મુખ્ય ગ્રંથિએને ચક્ર અથવા પા કહે છે. પ્રાણાયામના પરિપાકથી તે કુલિની મૂલાધારથી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહિત, વિશુદ્ધ અને આ ચક્રમાં થઈ છેવટ સહસ્ત્રદલ માં જાય છે.
ચક્રનાં સ્થાન મેદંડમાં (બરડાની કરેડમાં) સુષુણામાં સમજવાં, ને ચક્રની પાંખડી છે તે ચક્રના નાના તંતુઓરૂપે સમજવી. કેઈ પણ ચક્રનું મનવડે દઢ અનુસંધાન કરવાથી પાંખડીઓની સંખ્યાનુસાર અસાધારણ શક્તિ તે સાધક યોગીને પ્રાપ્ત થાય છે. પાંખડીઓના અક્ષરો તે ઉક્ત નાડીઓના તંતુઓને તે તે અક્ષરને મળ આકાર સમજ. ચક્રમાંના દેવ તે તે ચક્રોમાંની મુખ્યસત્તાનાં સાંકેતિક રૂપે સમજવાં.
યોગી જ્યારે પ્રાણાયામવડે ચક્રભેદ કરી સહસ્ત્રદલમાં જઇને રહે છે ત્યારે પ્રથમ તેના તૈજસની હિરણ્યગર્ભજોડે એકતા થાય છે, અને તેને ઘણીક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તૈજસ જ્યારે સહસ્ત્રદલમાં નિષ્ક્રિય સ્થિતિમાં રહે ત્યારે યોગીનું સ્થૂલશરીર કાઝવત નિચેષ્ટ રહે છે. ધ્યાનાદિના પરિપકવ અભ્યાસવ ળો એગી આવી પ્રાણાદિની નિચેષ્ટ સ્થિતિમાંથી (સમાધિમાંથી) પોતાની ઇચ્છાપ્રમાણે પુન: પિતાના તૈજસનું પિતાના વિશ્વ જે અનુસંધ ન કરી પોતાના અંતઃકરણની જાગ્રદેવસ્થામાં આવી શકે છે. અભ્યાસ વૈરાગ્યની વૃદ્ધિથી યોગી પિતાના પ્રાણને ઈશ્વરથી