________________
ઉર
શ્રી ગૌસ્તુભા
[છઠ્ઠી
--
--
--
-
-
-
* * *
*
*
માંની સુષુષ્ણુનાડીમાં (બ્રહ્મરંધ્રથી મૂલાધારસુધી જનારી મેરુદંડમાં રહેલી પ્રધાનનાડીમાં) વિશેષસત્તાથી અને શરીરમાંની નાની નાની બીજી નાડીઓમાં (આખા શરીરમાં) સામાન્યસત્તાથી રહેલ છે. સ્થૂલશરીરમાં ઉક્ત રીતે તૈજસની જ્ઞાનક્રિયાકારક વ્યાપકતા તેજ વિશ્વ કહેવાય છે. વિશ્વની સ્થલપાધિન વિરાર્તી ધૂલપાધિ વિષયવૈરાગ્યદ્વારા સંબંધ જોડી તૈજસની હિરણ્યગર્ભસાથે એકતા કરવા માટે પ્રાણાયામનો અભ્યાસ કરવામાં આવે છે. સ્થલશરીરમાં જે જ્ઞાનક્તિ તથા ક્રિયાશક્તિ જોવામાં આવે છે તે ચિદાભાસ, પ્રકાશ, ઉષ્ણતા, વિધુત ને ચૌખકશક્તિને લીધે છે, અને એ સર્વનું આધારભૂત તત્વ ચિદાભાસયુક્ત પ્રાણ છે. વાસ્તવિકરીતે કહીએ તે ચૈતન્યસહિત મુખ્ય પ્રાણ તેજ તૈજસ છે, મૂલબંધ આદિ ત્રણ બંધસહિત પ્રાણાયામને ત્રણ
સૂર્યનું પ્રતિબિબ શુદ્ધ કાચપર, શુદ્ધ કાચપરના તે પ્રતિબિંબનું પરાવર્તન કઈ ધાતુના ચળકતા પત્રાપર, અને તેનું પુનઃ પરાવર્તન યૂને દીધેલી લીસી ભીંત પર થાય છે તેમ બ્રહ્મનું પ્રતિબિંબ માયામાં પડે છે, તે માપહિત બ્રહ્મનું પરાવર્તન સમષ્ટિસમઉપાધિમાં, અને તેનું પુનઃ પરાવર્તન સમષ્ટિથુલઉપાધિમાં થાય છે. માયોપહિત ચૈિતન્યને ઈશ્વર, સમષ્ટિસન્મશરીરના અભિમાની ચૈતન્યને હિરણ્યગર્ભ અને સમષ્ટિન્થલપાધિના અભિમાની ચૈતન્યને વિરાટું કહે છે. પ્રત્યચૈતન્યનું પ્રતિબિબ અવિદ્યામાં પડે છે તે પ્રાણ, પ્રાણનું વ્યક્ટિસૂક્ષ્મ પાધિમાં પરાવર્તન તે તૈજસ અને તૈજસનું પુનઃ પરાવર્તન વ્યછિદ્ભૂલો પાધિમાં થાય છે તે વિશ્વ કહેવાય છે. આ વાત દર્શાવનારે સાંકેતિક અક્ષર # છે તેથી જ તેને શબ્દબ્રહ્મ કહે છે. ૐકારની અ, ઉ, મને આ માત્રા એમ ચાર માત્રા છે. અને વિશ્વ તથા વિરાટ્સાથે, ઉને તૈજસ તથા હિરણ્યગર્ભસાથે, મને પ્રાણ તથા ઈશ્વર સાથે અને અમાત્રાને પ્રત્યતન્ય તથા બ્રહ્મની સાથે અભેદ યોગાભ્યાસી દીક્ષદ્વારા તથા પુરુષપ્રયત્નદ્વારા અનુભવતાં શીખે છે.