SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ , શ્રીયોગકૌસ્તુભ [ %ી. ' અર્થ-હકાર સૂર્ય કહેવાય છે, ને ઠકાર ચંદ્ર કહેવાય છે. એ સૂર્ય અને ચંદ્રના જોડાણથી તે યંગ હઠગ કહેવાય છે. ઇડામાં વહન કરતા પ્રાણને ચંદ્ર કહે છે, અને પિંગલામાં વહન કરતા પ્રાણુને સૂર્ય કહે છે. પ્રાણાયામના તથા મુદ્રાદિના અભ્યાસવર્ડ કુંડલિનીનું ઉત્થાન થઈ સૂર્યચંદ્રને પ્રવાહ શિથિલ થઈ અભ્યાસના પ્રાણવાયુને સુષુષ્ણમાં પ્રવેશ થાય છે. આવી રીતે સૂર્યચંદ્રને એકત્ર કરવાની કલાને હગ કહે છે. પ્રાણુ ઉષ્ણ હોવાથી તેને ર્ય અને અપાન શીતલ હેવાથી તેને ચંદ્ર પણ કહેવામાં આવે છે. પ્રાણાયામાદિની ક્રિયાથી પ્રાણપાનની એકતા થાય છે. હઠયોગની બીજી મૃદુ પ્રક્રિયા આ પ્રમાણે છે. હૃદયમાં સૂર્યને નિવાસ છે, અને નાસિકાગ્રંથી બહાર દ્વાદશ આંગળપર ચંદ્રમાનું સ્થાન છે. જ્યારે હૃદયથી સૂર્યને સ્પર્શ કરીને પ્રાણવાયુ બહાર નીકળે છે ત્યારે તે ઉષ્ણ હોય છે, અને બહાર દ્વાદશ આંગળપર ચંદ્રને સ્પર્શ કરીને તે અંતર આવે છે ત્યારે તે શીતલ હોય છે. આ ઉપરથી (પ્રાણવાયુની ઉષ્ણતા તથા શીતલતા થવાથી) હૃદય અને નાસિકાના બહારના તે દેશમાં સૂર્યનું અને ચંદ્રનું અનુમાન થાય છે. શ્રીયોગવાસિષ્ઠના નિર્વાણપ્રકરણમાં શ્રીકાકભુશુંડે પણ એ વાત નીચેના વચનથી દર્શાવી છે – " द्वादशांगुलपर्यते नासाग्रे संस्थितं विधुम् । हृदये भास्करं देवं यः पश्यति स पश्यति ॥" અર્થ-નાસિકાની બહાર દ્વાદશ આંગળપર ચંદ્રમાં સ્થિત છે, ને હાથમાં સૂર્ય સ્થિત છે, તેને યોગકલાવડે જે પુરુષ જુએ છે તે પુરુષ યથાર્થ જુએ છે. હદયદેશમાં ચંદ્ર (પાન) લયભાવને પામ્યો હોય અને સૂર્યરૂપે (પ્રાણરૂપે) થઈ તે નાસિકાદ્વારા બહાર નીકળ્યો ન હોય ત્યાં સુધી તે સ્વાભાવિક આંતરકુંભક કહેવાય છે, ને ચંદ્રના સ્થાનમાં સૂર્ય (પ્રાણ) લયભાવને પામે હેય ને જ્યાં સુધી તે ચંદ્રરૂપે (અપાનરૂપે) થઈને
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy