________________
५८
શ્રીગૌસ્તુભ
[ પાંચમી
નાના તથા વ્યાપક માને છે તેથી તે સર્વ વ્યાપક આત્માઓનો એક એક મનથી તથા એક એક શરીરથી સર્વેદ સંબંધ છે એટલે કયું મન તથા કયું શરીર કયા આત્માનું છે, કિવા હતું, તે નિર્ણય થઈ શકે એમ નથી, એટલે તેમણે પૂર્વજન્મોમાં કરેલાં કર્મોના સંસ્કારરૂપ અદષ્ટની વ્યવસ્થા પણ થઈ શકતી નથી, તેથી અદષ્ટના અભાવથી મનને ને આત્માને સંગ નહિ થાય એમ કહેવું પણ સંભવતું નથી. જે કહે કે આત્માનું માધ્યમ( શરીરજેવડું પરિમાણ કિવા અણુપરિમાણ માનશું એટલે પૂર્વોક્ત દોષની પ્રાપ્તિ ન થાય, ને મોક્ષ સંભવી શકશે, તે તે પણ તમારું કહેવું પ્રવાપરને વિચાર કર્યાવિનાનું છે, કારણકે જ્યારે મધ્યમપરિમાણવાળે આત્મા માનશો ત્યારે તેને અવશ્ય વિકારી માને પડશે, કેમકે ઝીણું શરીરની પ્રાપ્તિ થાય ત્યારે તે સંકોચાઈ જાય છે, અને મેટા શરીરની પ્રાપ્તિ થાય છે ત્યારે તે વિકાસ પામે છે એમ તમારે સ્વીકારવું પડશે, ને એમ સ્વીકારશે એટલે તે આત્મા નાશવાન છે એમ પણ તમારે અંગીકાર ર્યા વિના છૂટકે નથી. જે જે વિકારવાનું હોય તે તે નાશવાન હોય છે એ આપણે પ્રત્યક્ષરીતે જોઈએ છીએ. આવી રીતે આત્મા નાશવાન ઠર્યો એટલે તેના મેક્ષમાટેને મનુષ્યને યત્ન પણ કાગડાના દાંતની પરીક્ષાના યત્નજે નિરર્થક કરે છે. અણુપરિમાણ માનવાથી શરીરના જે ભાગમાં તે આત્મા રહે તે વિનાને બીજો ભાગ જડ રહેવો જોઈએ, પણ તેમ તે જોવામાં આવતું નથી, એટલે તેના અણુરૂપની કલ્પના પણ મિથ્યા છે.” “અરોવાન ” (એ આત્મા અણુથી પણ અણુ છે) એ શ્રુતિમાં જે આત્માનું અણુપણું દર્શાવ્યું છે તે વૃત્તિના અણુરૂપ પરિમાણને પ્રકાશ કરનારા ચેતનના
સ્વભાવને લઈને કિવા આત્મા દુવિય છે એમ જણાવવાના હેતુથી ‘દર્શાવેલ છે, પણ આત્મા વાસ્તવિકરીતે અણુ છે એમ બતાવવા માટે નથી. ત્રણે (વ્યાપક મધ્યમ ને અણુ) પક્ષમાં આત્માની મેક્ષકાલે જડરૂપે સ્થિતિ થાય એમ માનવામાં આવે છે તે પણ બ નથી,