SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયાગકૌસ્તુભ [ ાથી ગુંચવાશે, અને તેમ થવાથી તંદ્રારાપક તથા તંદ્રાભાજન ઉભય ભયમાં આવી પડશે. દૃઢ સંકપવિના પણ આ પ્રયાગ સિદ્ધ થતા નથી. દૃઢ સંકપની ચિરકાલ ધારણા રાખી શકવાનેા અભ્યાસ કે જે પ્રાણને પ્રખલ કરવાના મુખ્ય ઉપાય માનવામાં આવ્યો છે તે નહિ હાવાથી દ્રારાપકે ધારેલું પરિણામ આવતું નથી, અને બંનેના સમય તથા પ્રયત્ન ફોટ જાય છે. પરાપકારદ્ધિની અગત્ય એટલામાટે છે કે સ્વાર્થી માણસાના પ્રાણ શીઘ્ર વિકાર પામી જાય છે અને એવા નિર્મૂળ પ્રાણવાળાથી પ્રયાગની સિદ્ધિ નજ અને એ દેખીતું છે, પરેપકારશુદ્ધિ પ્રાણને પ્રબલ રાખે છે, અને તેનું પરિણામ ઘણું સારું નીવડે છે. આચારવિચારની જેનામાં શુદ્ધિ નથી તેને પ્રાણ નિર્મૂલ હોવાથી તેને પણ અનાધિકારી ગણેલ છે. ધીરજ ન હેાવાથી ભાદિત પ્રસંગે પ્રયાગને અધવચાળે મૂકી દેવાને, ગભરાઇ ઊઠવાના કે બીજી અડચણો થવાના સંભવ રહે છે. તંદ્રાભાજનમાં ઉપર દર્શાવેલા ગુણાતી અપેક્ષા નથી. તેનામાં માત્ર અ. વિદ્યામાં અને તંદ્રારાપકમાં સાત્ત્વિકી ( સમજવાળી ) શ્રટ્ઠા જોઇએ; એટલે કે આ વિદ્યાની સકારણ સિદ્ધતા છે, અને તંદ્રાપક મને કાંઈ પણ અડચણુ કિવા હાનિ કરનાર નથી એમ તેની દૃઢ માન્યતા ટાવી જોઇએ, મૈં પ્રયેગસમયે તેણે પ્રયેગની વિરુદ્ધ કિવા અન્ય વિચારેથી બની શકે તેટલું દૂર રહેવું જોઇએ. આગળ કહી ગયા તે પ્રાણકથાના પ્રયાગના બે ભાગ પાડવામાં આવ્યા છે, ૧ નવાણુ ને ૨ દિવ્ય જ્ઞાન. પ્રથમ ભાગમાં સ્થુલારીરના જેવા કે જવર, ઉધરસ તે માથાનેા દુઃખાવા પ્રત્યાદિ વ્યાધિનું તથા સૂક્ષ્મશરીરના જેવા કે ઉન્મત્તપણું તથા વાઈ આદિ વ્યાધિનું શમન કરવાને સમાવેશ થાય છે, અને ખીજામાં દિવ્યદૃષ્ટિારા પ્રત્યક્ષ થતા અદ્ભુત જ્ઞાનને સમાવેશ થાય છે. જેનું વિશેષ વર્ણન આગળ આપવામાં આવશે. શાંત સ્થલે એટલે કે જે જગાએ લેશ પણુ ગડબડાટ થતા
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy