SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભા] પ્રાણવિનિમયાદિનું નિરૂપણ વિક્રિયાકાર થતી મનની વ્યગ્રતા આદિને સ્નાન નિવૃત્ત કરી દે છે એ વાત સૌ કોઈને અનુભવસિદ્ધ હેવી જોઈએ. પૂર્વોક્ત બીજી ક્રિયાઓ દ્વારા પણ મનુષ્યનું મન કેવું શાંત અને સ્થિર થાય છે એ વાત તે તે 'કયાના અનુભવી જનોના જાણવાબહાર નહિ હોય. પ્રાણની યથાર્થ શુદ્ધિ એજ ત્રણ (સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ) શરીરની યથાર્થ શુદ્ધિ ગણાય છે, માટે જ જનોઈ આપ્યા પછી દિને નિત્યકર્મનું અવશ્ય પાલન કરવાનું શીએ આરારૂપે સૂવેલું છે. કચ્છચાંદ્રાયણદિરૂપ ત ૫દ્વારા અને ગાયત્રી આદિ મંત્રના જપદ્વારા પણ નાડીચકની પુષ્ટતા તથા સ્થિરતાઠારા મનુષ્યના પ્રાણની શુદ્ધિ થાય છે. મઘમાંસાદિને ઉપયોગ કરવાથી અને અતિશય આહારવિવાદિથી પ્રાણની વિક્રિયા થવાથી સૂક્ષ્મ શરીરમાં તેમજ રધૂલશરીરમાં બિગાડ થાય છે. પ્રાણતત્ત્વનું સામાન્ય વિવેચન જે આ પ્રયોગને અંગે પ્રયોગ કરનારે જાણવું અવશ્યનું છે તે ઉપર કરવામાં આવ્યું. હવે તે પ્રયોગસંબંધી વિચનનો આરંભ થાય છે. આ વિષય મોક્ષેચ્છને સાક્ષાત ઉપયોગ નથી, પણ એમના પૂર્વરૂપે તેનું સ્વરૂપ જાયું હોય તે બુદ્ધિમાં તે વિષયને મોહ ન રહે, તથા યોગની સત્યતાનું ભાન થાય, માટે તેનું અત્ર કથન થાય છે, અન્ય હેતુથી તેનું કથન થતું નથી. તંદ્રારોપક ને તંદ્રાભાજન–આ પ્રયોગ કરનારને તંદ્રારોપક ને જેના ઉપર અ પ્રવેગ કરવામાં આવે છે તેને તંદ્રભાજન કહેવામાં આવે છે. તંદ્રાકમાં પ્રવેગનું યથાવિધિ પૂર્ણ જ્ઞાન, દૃઢ સંકલ્પ, પરોપકાર મુદ્ધિ, શરીરની નીરંગ અવસ્થા, આચારવિચારની શુદ્ધિ અને ધીરજ એટલા ગુણોની આવશ્યકતા છે. એ ગુણ જેનામાં ન હોય તે તંદ્રારોપક થવાને અયોગ્ય ગણાય છે. તંદ્રારાપકમાં આ ગનું પૂર્ણ જ્ઞાન ન હોવાથી તેનાથી પ્રયોગ આરંભી શકાશે નહિ, તે કદાપિ તે તેનો આરંભ કરી દેશે તેપણુ વચ્ચે વિઘ આવ્યાથી તે
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy