________________
ગૌસ્તુભ
1 ચોથી જેવી છે. આ સ્થિતિ વેગના ઉંચા અભ્યાસ વિના સમજવી કઠિન છે.
પરંપરાથી ચાલ્યાં આવતાં ને દઢ થઇ સ્વાભાવિકજેવાં લાગતાં કેટલાંક પ્રાણીઓમાં રહેલાં વર અને સ્નેહ પણ તેમના પ્રાણતત્વની પ્રતિકૂલતા તથા અનુકૂલતાને લીધેજ છે. ચિરકાલના અભ્યાસથી પકવ થયેલી પ્રાણની પ્રબળતા કિવા નિર્બલતા વંશપરંપરા પણ ઊતરતી આવે છે. આને લીધે જ મૂલમાં જ્ઞાતિભેદને વિચાર આર્યપ્રજામાં ઉપન્યો હશે, એમ જણાય છે. પ્રાણીઓના સ્વભાવનું પરંપરાએ બહુધા એકસ્વરૂપ ચાલ્યું આવે છે એમ પશુપક્ષીઓમાં ચાલ્યા આવતા સ્વભાવપરથી જણાઈ આવે છે. જેઓને અનમિષદૃષ્ટિ વિશેષ સમય સુધી રહી શકે તેવાં પ્રાણીઓમાં બહુધા પ્રાણની પ્રબલતા સ્પષ્ટ જોવામાં આવે છે, અને તેથી જ તેવાં પ્રાણીઓને દેખવાથી બીજા નિર્બલ પ્રાણવાળાં પ્રાણીઓ સ્તબ્ધ થઈ જાય છે, અને તેના ભણી સ્વાભાવિકરીતે આકર્ષાય છે. સિહસર્પાદિ અને અન્ય નબળાં પશુપક્ષી આદિ એનાં ઉદાહરણ છે. અમેરિકામાં એક જાતના સર્પ થાય છે જેને ગણગણતા સર્પના નામથી ઓળખવામાં આવે છે. તેમનામાં તે એ આકર્ષકશક્તિ વિશેષ પ્રકારની છે એમ શોધક વિદ્વાને પિતાના અનુભવથી જણાયું છે. એવા સર્પની દૃષ્ટિએ પડેલાં ઉ ર ને ખીસકેલી આદિ નાનાં પ્રાણીઓ ખસી શકતાં નથી. એટલું જ નહિ પણ ધીરે ધીરે તેઓ પોતાની મેળે જ આકર્ષાઈને તેના મોઢામાં પડે છે. - સ્નાન દ્વારા જલથી, અને ઉપાસનાકારા સૂર્ય તથા અગ્નિથી મનુષ્યના પ્રાણની શુદ્ધિ થાય છે. યોગાભ્યાસ દ્વારા શીધ્ર પ્રાણશુદ્ધિ થાય છે એ વાત તે સુપ્રસિદ્ધ છે. અગ્ય આચારવિચારથી અને અન્ય અપવિત્ર પ્રાણીઓના પ્રાણપ્રવાહના સંસર્ગદ્વારા મનુષ્યના પ્રાણમાં જે વિક્રિયા થઈ હોય છે તે વિક્રિયા ઉપરની ક્રિયાઓ દ્વારા દૂર થઈ જાય છે તેથી જ આપણાં શાસ્ત્રોમાં બ્રિજેને માટે ત્રિકાલ સ્નાન કરવાનું, ત્રિકાલ સંધ્યોપાસના કરવાનું, અગ્નિહોત્ર રાખવાનું કે હેમ કરવાનું અને પ્રાણાયમ કરવાનું જણાવ્યું છે. પ્રાણુની