________________
ર
શ્રીગૌસ્તુભ
[ત્રીજી
મનેરાથી ઉન્મત્ત થયેલા બલવાન મનથી તપે છે. આ બાલ્યાવસ્થા ભય, અવિવેક અને અપવિત્રતાના સ્થાનરૂપ છે. બાલ્યાવસ્થાપછી પ્રાપ્ત થતી યુવાવસ્થા પણ વિવેકીને દુઃખરૂપજ જણાય છે, આ અવસ્થામાં અનંત ચેષ્ટાવાળા પિતાના ચંચલ ચિત્તની રાગદ્વેષ આદિ અનેક ચિત્તવૃત્તિઓને અનુભવ કરતા મૂર્ણ પુરુષ નાનાપ્રકારનાં દુઃખને અનુભવ કરે છે. અંતઃકરણરૂપ ગુફામાં રહેલે અને ઘણા પ્રકારની ભ્રાંતિઓ ઉપજાવનાર કામદેવરૂપ ભયંકર પિશાચ યુવાવસ્થાવાળા પુષ્પને પરવશ કરીને બલાત્કારથી દબાવે છે. આ અવસ્થામાં પ્રાયશ: સ્ત્રીઓના મલિન અવયવોનું તથા તેમના સંબંધના વિલાસનું તેમજ પુષ્કલ દ્રવ્ય સંપાદન કરી નાનાપ્રકારના વિષપભોગ કરવાનું જ અવિવેકી મનુષ્યોના મનમાં ચિતન થયા કરે છે. આ યુવાવસ્થારૂપ રાત્રિ હોય ત્યાંસુધીજ બહુધા અનંત પ્રકારના માયિક વિષયોના રાગદ્વેષરૂપી પિશાચ મનુષ્યના મનમાં ઉન્મત્તપણે વિચર્યા કરે છે. વિનય, વિવેક, સદ્ધર્મમાં અનુરાગ, વૈરાગ્ય, શમ ને દમાદિ શુભ ગુણે આ અવસ્થામાં ભાગ્યેજ જોવામાં આવે છે. યુવાવસ્થાને ગળી જનારી વૃદ્ધાવસ્થા છે. એ વૃદ્ધાવસ્થા પણ દુઃખના ભંડારરૂપજ છે ખાવામાં આવેલ વિષને કડકે જે શરીરના રૂપને બગાડી નાંખે છે તેમ સઘળાં અંગેને નિર્બલ કરનારી જરાવસ્થા પણ શરીરના રૂપને તુરત બગાડી નાંખે છે. આ અવસ્થામાં ઘણું કરીને મનુષ્યની બુદ્ધિ પણ નિર્બલ થઈ જાય છે. સ્ત્રીઓ, પુત્ર, બાંધ, સંબંધીઓ, દાસે અને બીજા માણસો જેમ ગાંડ માણસની હાંસી કરે છે તેમ વૃદ્ધાવસ્થાએ ધ્રુજાવેલા માણસની તેઓ હાંસી કરે છે. જેવાને લગારે ન ગમે એવા, ખળભળી ગયેલા, રાંકપણું પામેલા ને સદ્દગુણ તથા શક્તિથી રહિત થયેલા અજ્ઞાની વૃહઉપર જેમ જાના ઝાડપર ગીધ પક્ષી આવીને બેસે તેમ અપૂર્વ તૃષ્ણાનો મોટે ભાર આવીને બેસે છે. આ તૃષ્ણા દીનતા આદિ દેષોથી ભરેલી, અંતવિનાની, હૃદયમાં બળતરા આપનારી અને સઘળી