________________
પ્રભા ]
પ્રાણાયામનિરૂપણ
ચિપૂર્વક ઊપાડીને ડાબાજમણ હલાવવા [ આ ક્રિયા સિદ્ધ થયા પછી બેસીને પણ ન ફેરવી શકાય છે. ] તે નીતિક્રિયા કહેવાય છે. કાઈ યોગીઓ એને લૌલિકિ પણ કહે છે. જઠરાગ્નિને પ્રદીપન અને ઉદરગત વાતાદિક સર્વ રેગેનું નિવારણ આ ક્રિયા કરે છે.
પશ્ચિમ તાનાસન સિદ્ધ કરી આરંભમાં આઠેક દિવસ સાટોડીની ભાજી ખાધી હોય, અને ઘી તથા તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ ન ખાધા હોય કિવા બહુજ થોડા ખાધા હેય તે નલ વેલાસર છૂટા પડી જાય છે, અને નીતિક્રિયા વેલાસર આવડી જાય છે.
૬ ત્રાટક એકાગ્રચિત્તથ દૃષ્ટિને સ્થિર કરી સૂક્ષ્મ લક્ષ્ય એ કેઈ નિશ્ચલ પ્રકાશિત પદાર્થ કિવા નાસાગ્રભાગ તેના ભણી આંખમાં પાણી આવે ત્યાં સુધી જોઈ રાખવું, ને પછી આંખો બંધ કરી દેવી તે ત્રાટકકર્મ કહેવાય છે. આ ક્રિયા આંખોના રેગેને દૂર કરે છે, તેમજ આલસ્ય, નિદ્રા તથા તંદ્રાદિને પણ નાશ કરે છે.
ત્રાટક કરતાં પહેલાં વા જ્યારે તંદ્રા થવા લાગે ત્યારે આને સામી, ઉપર, નીચે બંને બાજુએ અને ખૂણાઓ ભણી વારંવાર કેટલોક સમય ફેરવ્યા કરવાથી નેત્રનું બલ વધે છે, ત્રાટક સુખપૂર્વક થઈ શકે છે, ને તંદ્રા દુર થાય છે.
૭ કપાલભાતિ અર્ધપદ્માસને બેસી, બંને હાથના પંજા ઢીંચણ પાસે દઢ ભરાવી, લુહારની ધમણની પેઠે ઊતાવળથી બંને નાસાપુટથી રેચકપૂરક કરવા તે કપાલભાતિ કહેવાય છે. - નેતિ, ધતિ, બસ્તિ, નૌલિ, ત્રાટક અને પાલભાતિ એ