________________
૧૬૦
[ દશમી
શ્રીગકૌસ્તુભ થતાં મનને તથા પ્રાણને નિગ્રહ કરવો સુગમ પડે છે.
૧ સિદ્ધાસન ડાબા પગને આડે રાખીને તેની પાની રીવનીમાં (વૃષણના મૂલ તથા ગુદાના છિદ્રની વચ્ચેના ભાગમાં) રાખવી, ને જમણા પગની પાની વિગઉપર રાખી ડોકન નીચી નમાવી હડપચી હૃદયની સમીપના દેશમાં એટલે હૃદયની ઉપર ચાર આંગળપર લગાડી સરલ અને નિશ્ચલ સ્થિતિવડે ઈદ્રિયને વશ કરીને બેસવું, અને આંખને ઊઘાડી રાખીને ષ્ટિને ત્રિકટીમાં (ભૂમધ્યભાગમાં) રાખવી ને ડાબા હાથના ચત્તા પંજાપર જમણું હાથને ચત્તે પજે રાખો તે સિદ્ધાસન (સિદ્ધ અવસ્થાને પમાડનારું આસન) કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણમાટે પરિશિષ્ટમાં આપેલું સિદ્ધાસનનું ચિત્ર જુઓ. વજૂસન, ગુમાસન ને મુક્તાસન એ સિદ્ધાસનના અવાંતરભેદ છે. તેમાં જમણું પગની પાની ગુદા ને ઉપસ્થની વચ્ચે રાખી તથા ડાબા પગની પાની લિગઉપર રાખી પૂર્વવત્ સ્થિર થવું તે વજાસન, (શરીરને વજજેવું સુદઢ કરનારું આસન,) ડાબા પગની પાની સીવીમાં રાખી તે પાનીપર જમણું પડાની પાની રાખી પૂર્વવત બેસવું તે મુક્તાસન (મુક્તદશાની પ્રાપ્તિ કરાવનારું આસન) ને ડાબા પગની પાની લિગની ઉપર રાખી ને પગની પાનીની ઉપર જમણા પગની પાની રાખી પૂર્વની પે સ્થિત થવું તે ગુપ્તાસન (ગુપ્તતવનો સાક્ષાત્કાર કરાવનારું આસન) કહેવાય છે. આ ગુપ્તાસનને કેટલાક યોગીઓ સિદ્ધાસન પણ કહે છે.
આ આસને બેસવાથી મસ્તકવિના શરીરને મધ્ય ભાગ સીધો રહે છે ને શ્વાસોચ્છવાસ સીધે ચાલી તેની ગતિ મંદ પડવા માંડે છે. દષ્ટિની સ્થિરતાથી તેજોદર્શન થાય છે. વીર્યધરનાડી દબાવાથી વીર્યને જય થાય છે. દેહને કષ્ટ દીધા વિના આ આસને વધારે