________________
પ્રભા ]
યમનિરૂપણ
૧૧૯
संकल्पोऽध्यवसायश्च क्रियानिष्पत्तिरेव च । पतन्मैथुनमष्टांग प्रवदंति मनीषिणः ॥ न ध्यातव्यं न वक्तव्यं न कर्तव्यं कदाचन । પૌં વિનિષ્ણુતા તિતિ નેતાઃ ”
અર્થ –બ્રહ્મચર્યનું સર્વદા રક્ષણ કરવું. એ બ્રહ્મચર્ય આક પ્રકારનાં લક્ષણવાળું છે. સ્ત્રીનું મનમાં રાગપૂર્વક સ્મરણ કરવું, રાગપૂર્વક સ્ત્રીના સંબંધી મોઢેથી વાતો કરવી, સ્ત્રીની સાથે ક્રીડા કરવી, સ્ત્રીનું રાગપૂર્વક દર્શન કરવું, તેની સાથે એકાંતમાં વાર્તા કરવી, તેના ઉપગને મનમાં સંકલ્પ કરવો, તેના ઉપભેગમાં નિશ્ચય કરે, ને તેની સાથે સંભોગ કરે, આ મૈથુનનાં આઠ અંગો બુદ્ધિમાને કહે છે. એ સર્વથી વિશેષરીતે મોકળો થયેલો યતિ થાય છે, અન્ય નહિ, માટે ગસાધકે કેઈપણ સમયમાં મૈથુનનું મનમાં સ્મરણ, મોઢેથી તેનું ભાષણ તથા શરીરવડે તેનું સંપાદન નહિ કરવું જોઈએ.
અન્ય સ્મૃતિમાં પણ કહ્યું છે કે – "न संभाषेत् स्त्रियं कांचित् पूर्वदृष्टां च न स्मरेत् । कथा च वर्जयेत्तासां न पश्येत् लिखितामपि ॥१॥
અર્થ-બ્રહ્મચારીએ કોઈ પણ સ્ત્રીની સાથે રાગપૂર્વક સંભાષણ નહિ કરવું જોઈએ. તેણે પૂર્વે જેયેલી સ્ત્રીનું રાગપૂર્વક સ્મરણ પણ ન કરવું જોઈએ, તેમજ તેના સંબંધી રાગપૂર્વક વાર્તા પણ વર્જવી જોઈએ, અને તેની ચિત્રિત મૂર્તિ પણ રાગપૂર્વક ન જવી જોઈએ.
પૂર્વોક્ત આઠ પ્રકારની સ્ત્રીના સંબંધની દુષ્ટવાસનાઓને દેહના અનિત્યપણુને, તેને વારંવાર થતા વ્યાધિઓને તથા તેમાં રહેલા અપવિત્ર પદાર્થોને વિચાર કરી બ્રહ્મચર્ય પાળવા ઈચ્છનાર પુરુષે પિતાના મનમાંથી કાઢી નાંખવી જોઈએ.
અવિવેકી પુરુષને માટે સ્ત્રી એ ભયંકર તા૫પ્રદ અગ્નિ અથવા ગંધ માત્રથી ઉન્માદ ઉપજાવનારી વિષવલલી છે. રાગપૂર્વક તેને જોતાં જ