SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠી શ્રી ગૌસ્તુભ "तस्मिन् मनो पिलोयते मनसि संकल्पविकल्पे दग्धे पुण्यपापे सदाशिवः शक्त्यात्मा सर्वत्रावस्थितः स्वयंन्योतिः शुद्धो बुद्धो नित्यो निरंजनः प्रकाशत इति ॥" અર્થ-ગાભ્યાસીને ધ્યાનકાલે દશ પ્રકારના નાદ અનુભવાય છે, પહેલે ચિણ, (તમરાના જે,) બીજો ચિચિયું, (ચકલાના જે,) ત્રીજો પંજે, એથે શંખ જેવો, પાંચમે વણજે, છો તાજે, સાતમે વાંસળીજે, આઠમો તબલાજે, નવમે ભેરીજે અને દશમે મેઘજેવો નાદ છે. તેમાંથી નવ પ્રકારના નાદને પરિત્યાગ કરીને બ્રહ્મભાવની પ્રાપ્તિના સાધનભૂત દશમા મેઘનાદને મુમુક્ષુ સર્વદા અભ્યાસ કરે. પહેલે નાદ સાંભળતાં સર્વ અંગોમાં તમરાના ફાટવાના જેવા શબ્દની પ્રતીતિ થાય છે, બીજો નાદ સાંભળતાં શરીરનાં અંગ ટુટવાની પેઠે થાય છે, ત્રીજે નાદ સાંભળતાં ચિત્તમાં ખિન્નત થાય છે, ચોથે નાદ સાંભળતાં શિર કંપે છે, પાંચમે નાદ સાંભળતા તાલ સ્ત્રવે છે, છો નાદ સાંભળતાં અમૃતનું પાન થાય છે, સાતમે નાદ સાંભળતાં ગુહ્ય પદાર્થનું જ્ઞાન થાય છે, આઠમ નાદ સાંભળતાં પરાવાણીની પ્રાપ્તિ થાય છે. નવમે નાદ સાંભળતાં નિર્મલ દિવ્યદૃષ્ટિ તથા અંતર્ધાનની શક્તિ પ્રાપ્ત થાય છે, અને દશમે નાદ સાંભળતાં બ્રહ્માત્માની સન્નિધિ થતાં સાધક બ્રહ્મરૂપ થાય છે. આવી રીતે થવાથી બ્રહ્મમાં મનને વિલય થાય છે. મનને વિલય થવાથી સર્વ સંકલ્પવિકલ્પનો લય થાય છે સંકલ્પવિકને નાશ થવાથી જન્મજન્માંતરમાં સંચય કરેલાં પુણ્ય પાપને નાશ થાય છે. પુણ્યપાને નાશ થવાથી સાધક પુરુષ શિવરૂપ થયે છતે શક્તિના આત્મરૂપ, સર્વવ્યાપક, સ્વયંતિ , શુદ્ધ, બુદ્ધ, નિત્ય, નિરંજન ને બ્રહ્મરૂપ થઈને પ્રકાશે છે, અર્થાત્ કૈવલ્યરૂપ એક્ષપદમાં સ્થિત થાય છે. આ નાદની ચાર અવસ્થા છે. આરંભાવસ્થા, ઘટાવસ્થા, પરિચયવસ્થા ને નિષ્પત્યવસ્થા. હદયમાં રહેલી બ્રહ્મગ્રંથિને ભેદ થતાં
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy