SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ ગુરુની ભક્તિ આહાર-પાણી-વસ્ત્ર, પાટલાં-પાટ-આદિ અનેક પ્રકારે કરાય છે. તેથી વારંવાર ગુરુને વંદન કરતાં ઈચ્છકાર સૂત્રમાં ‘સ્વામી શાતા છે જી? ભાત-પાણીનો લાભ દેજોજી’ એમ બોલી વિવેકપૂર્વક શ્રાવક વિનંતી કરે છે. ‘સમકિતદાતા ગુરુ તણો, પશુવયારણ ન થાય.’ આ સંસારમાં પુણ્યના યોગે જો સમકિતની પ્રાપ્તિ થાય તો એ ગુરુનો ઉપકાર ક્યારે પણ ફેડી ન શકાય તેવો અમૂલ્ય છે. સાધુ, સાધ્વી પણ ૧૦ સમાચા૨ી નજર સામે રાખી ઉપકારની બુદ્ધિથી વડીલાદિની સેવા-ભક્તિ કરતાં હોય છે. વૈયાવચ્ચ કરવાની ભાવના ભાવે છે. ઉદાહરણો ઃ ★ જીરણ શેઠ ૪-૪ મહિના સુધી પ્રભુ વીરને ચોમાસી તપના પારણાનો લાભ આપવા વિનંતી કરતા હતા, પણ એ લાભ તો ન મળ્યો. પરંતુ ઉત્તમ ભાવનાના કારણે અચ્યુત વિમાનના આયુષ્યનો બંધ કર્યો. પુષ્પલતા સાધ્વીજીએ અશક્ત એવા અર્ણિકાપુત્ર આચાર્યની નિષ્કામ બુદ્ધિથી ભક્તિ કરી. ભક્તિના પ્રભાવે એ કેવળજ્ઞાનની લક્ષ્મીને પામ્યા. * બાહુબલીજીએ પૂર્વ ભવે ૫૦૦ મુનિઓની ખડે પગે સેવા-ચાકરી કરી, તે કારણે ચક્રવર્તી કરતાં પણ વધારે બાહુબળના સ્વામી થયા. ★ જયંતિ શ્રાવિકા મુનિઓને વસતિનું દાન આપતાં હતાં તેથી તે ‘શય્યાતી’ તરીકે જૈનશાસનમાં પ્રસિદ્ધ થયા. ★ શ્રી કૃષ્ણજીએ ૧૮ હજાર સાધુને ભક્તિથી વંદન વિધિ-સહિત કરી. ફળ સ્વરૂપ ત્રણ નરકગતિના દલિયા ઓછા થયા. ★ દ્રૌપદીએ પૂર્વભવે તપસ્વી મુનિને કડવું તુંબડુ વહોરાવી જન્મ-મરણ વધાર્યા. (૪) સાધર્મિક ભક્તિ ઃ સહધર્મિ-સમાન ધર્મનું પાલન-આચરણ કરનારને સાધર્મિક કહેવાય છે. તેને કલ્યાણમિત્ર પણ કહી શકાય. સાધર્મિકની ભક્તિ ક૨વાથી અવાંતર રીતે ધર્મની વૃદ્ધિ થાય, ધર્મની પ્રભાવના થાય. આ ઉપરાંત કોઈ કારણસર કર્મના ઉદયે જીવ, આર્થિક, માનસિક, શારીરિક રીતે નબળો હોય તો તેવી વ્યક્તિની વિવિધ પ્રકાર ભક્તિ કરી ધર્મમાં
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy