________________
૧૧૧
વૈરાગ્યમય સ્તુતિ, સ્તવન, સ્તોત્ર છંદ આદિ દ્વારા ભાવને વાચા
આપવી. સ્મરણ ભક્તિઃ જાપ, ધ્યાન, ચિંતન, મનન દ્વારા વીતરાગ પરમાત્માને
મનમંદિરમાં પધારવા વિનંતી કરવી. વિંદન ભક્તિ ઃ અંજલિબદ્ધ અર્ધાવનત, ફીટ્ટાવંદન, પંચાંગ પ્રણિપાત, ચૈત્યવંદન,
દેવવંદન, ગુરુવંદન, થોભવંદન, દ્વાદશાવર્ત વંદન દ્વારા વંદનીયને
વંદના કરવી. અર્ચન ભક્તિ : પરમાત્માની વિવિધ પ્રકારે ત્રિકાલ પૂજા સ્વદ્રવ્ય, ભાવથી કરવી. દાસ્યભક્તિ કે ધર્મસ્થાનક મંદિરાદિ)માં વિવિધ પ્રકારે શુદ્ધિ જાતે જ કરવી.
ભક્તામર સ્તોત્રનું નિર્માણ જ્યારે પૂ. માનતુંગસૂરિ મ. સાહેબે કર્યું ત્યારે તેમના હૃદયમાં અકાટ્ય શ્રદ્ધા હતી કે ભક્તિ જ બંધનમુક્ત થવા માટેનું અમોઘ શસ્ત્ર છે. અને એ વાત સ્તોત્રની રચના દ્વારા સિદ્ધ કરી આપી. તેથી ભક્તિને અનેક પ્રકારે સ્મરણ કરવા આગ્રહ રાખો.
મુખ્યત્વે ભક્તિની પાછળ મિથ્યાત્વ, કષાય, અહંકારાદિ દુગુર્ણા ઓછા થાય અને નમ્રતા, વિનય, સમર્પણ ભાવનો વિકાસ થાય તો જ એ ભક્તિ શક્તિ આપે અને એ શક્તિ સંસારથી મુક્તિ-નિવૃત્તિ આપે. “જેવી ભાવના તેવી સિદ્ધિ.'
શ્રાવકે જીવનમાં જે છ આવશ્યક સવારથી સાંજ સુધી કરવા પ્રયત્ન કરવો જોઈએ. તેમ છ દૈનિક કાર્યનો પણ અધિકાર શાસ્ત્રમાં નીચેના શ્લોક દ્વારા આપ્યો છે –
દેવપૂજા ગુરુપાસ્તિ, સવાધ્યાયઃ સંયમસ્તપ,
દાનક્ષેતિ ગૃહસ્થાનાં, વકર્માણિ દિને દિને. ભાવાર્થઃ દેવપૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમનું પાલન, તપ અને દાન ગૃહસ્થના છ કર્મ-કાર્ય છે.
ભક્તિના મહત્ત્વના સ્થાન-પ્રકારની મુલાકાત લઈએ.* (૧) દર્શન ભક્તિઃ
વીતરાગ પરમાત્માની દર્શન, વંદન, પૂજન, સત્કાર, સન્માનાદિ વિવિધ * વંદશવત્તિયાએ... બોકિલાભવત્તિયાએ... ઉપરાંત સિદ્ધ ભક્તિ, ચારિત્ર ભક્તિ, યોગ
ભક્તિ વગેરેના ૧૦ (૧૨) પ્રકારો છે.