________________
૪૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પ્રથમચિત્રમાં બતાવ્યા મુજબ, આલ્ફાકણનું અસ્ત્ર, બેરિલીયમના ન્યુક્લીઅસમાં જોડાઈ જાય છે. તે જોડાવાના કારણે બાજુના બીજા ચિત્રમાં બતાવ્યા મુજબ એક ન્યૂટ્રોન બહાર ફેંકાઈ જાય છે, તેના કારણે પરિણામે જે અણું બને છે તે કાર્બનનો અણું છે. એટલે કે, બેરિલિયમ આલ્ફાકણના અસ્ત્ર વડે કાર્બનમાં રૂપાંતરિત થયો. આ કિસ્સામાં વિભાજન છે. છતાં મુખ્યપણે સંયોજન હોવાથી પૂરણ”ને સમજાવે છે. - કૃત્રિમ રેડીયો એકટીવીટીથી એલ્યુમિનિયમમાંથી ફોસ્ફરસ, ફોસ્ફરસમાંથી સીલીકોન, તેમજ મેગ્નેશિયમમાંથી સિલિકોન, સિલિકોનમાંથી એલ્યુમિનિયમ. સોડિયમનું રેડિયો સોડિયમમાં અને તેમાંથી મેગ્નેશિયમમાં વિગેરે રૂપાંતરો છે. યુરેનિયમના રૂપાંતરો, પુદ્ગલનો “ગલન” સ્વભાવ
યુરેનિયમન ધાતુના દૃષ્ટાંતથી ગલન સ્વભાવને બહુ સ્પષ્ટપણે સમજી શકાશે. યુરેનિયમ ધાતુનો પદાર્થ રેડીયો એકટીવ છે. (ઘન પદાર્થમાંથી આરપાર નીકળી જાય એવા સૂક્ષ્મ પ્રકાશના કિરણો જેમાંથી સતત નીકળતા હોય તેવા પદાર્થને રેડીયો એકટીવ કહે છે.) યુરેનિયમન સતત, દિવસ-રાત નિરંતર, ત્રણ પ્રકારના કિરણો ફેંકે છે. જેનાં ગ્રીક નામ, alfa (આલ્ફા), beta (બીટા) અને gamma (નેમા) છે. Alfa કિરણો એ એવા કણોના પ્રવાહ છે, જે Helium અણુંના nuclei (કેન્દ્ર) છે. Beta કિરણોના પ્રવાહો તે ઇલેકટ્રોનના પ્રવાહો છે. અને gamma કિરણો, પ્રકાશના સ્વભાવવાળા કિરણો છે. જયારે યુરેનિયમનો એક અણું ત્રણ alfa કણો ગુમાવે, ત્યારે તે રેડિયમના અણુમાં રૂપાંતરિત થાય છે. રેડિયમ પણ રેડીયો એક્ટીવ પદાર્થ છે. જ્યારે રેડિયમનો અણું પણ પાંચ affa કણ ગુમાવે ત્યારે તે સીસામાં રૂપાંતરિત થાય છે. આ વસ્તુ પુદ્ગલ દ્રવ્યના “ગલ” = ગલન સ્વભાવને સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનના છૂટા પડવા વડે પદાર્થ, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે.