________________
(૯) સૂત્ર-૧ ચાર અજીવકાય. ૪થું-પુદ્ગલ દ્રવ્ય.
૪૫ સ્કંધ જ છે. તે પણ સૂક્ષ્મપણાને પામેલો છે. એટલે તાત્પર્ય એ થયું કે, દરેક પુદ્ગલ (ભૌતિક) પદાર્થનો અતિ સૂક્ષ્મ અંતિમ કણ = ૧ નૈશ્ચયિક પરમાણું. અનંતસૂક્ષ્મ નૈશ્ચયિક પરમાણુ = ૧ વ્યવહારિક પરમાણુ. પુદ્ગલ શબ્દની પસંદગી જૈનદર્શનની આગવી છે :
પુદ્ગલ' શબ્દનો અર્થ -પુ = પૂરણ, ગલ = ગલન. પૂરણ અને ગલન સ્વભાવવાળો પુદ્ગલ પદાર્થ છે. અર્થાત સંયોજન અને વિભાજન દ્વારા રૂપાંતરોને પામવું તે. આ પદાર્થ માટે પુદ્ગલ શબ્દની પસંદગી જૈન દર્શનની આગવી છે. અજૈન સાહિત્યમાં તે પ્રચલિત નથી. પુદ્ગલની આ વ્યાખ્યા એટલી બધી સૂચક અને ગહન અર્થવાળી છે કે, જેઓ આધુનિક આણ્વિક ભૌતિકશાસ્ત્રથી સુપરિચિત છે, તેઓ તેની વ્યાખ્યા મુજબના પુદ્ગલ' શબ્દના પ્રયોગની સાર્થકતા બરાબર સમજી શકશે. ઇલેકટ્રોન અને ન્યૂટ્રોનના સંયોજન અને વિભાજન વડે પુદ્ગલ પદાર્થ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન પામે છે. (પૃ. ૩૬૪)
પૂરણ” અને “ગલની વૈજ્ઞાનિક રીતે દષ્ટાંત દ્વારા સમજીએ. બેરીલિયમમાંથી કાર્બનમાં રૂપાંતર - પૂરણ સ્વભાવ
બેરિલીયમ
કાર્બન
ન્યૂટ્રોન
B
B
ન્યૂટ્રોન
~ આલ્ફાકણનું અસ્ત્ર ) (અથડામણ પહેલાંનો બેરિલિયમનો ન્યૂક્લિાસ)
(બેરિલિયમનો ન્યૂક્લિાસ અથડામણ પછી થયેલો કાર્બનનો અણુ)