________________
૩૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૭) સૂત્ર - ૧ - ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય
આકાશાસ્તિકાય
– લોકાકાશ અને અલોકાકાશ. - ત્રણ લોક - ઉર્ધ્વલોક, અધોલોક, અને મધ્યલોક. > ૧૪ રાજલોક. – આધુનિકવિજ્ઞાન અને આકાશ.
(अजीवकायाः धर्माधर्माकाशपुद्गलाः ॥१॥) લોકાકાશ અને અલોકાકાશ -
વિશ્વના ઘટકભૂત ૬ દ્રવ્યોમાંનું ત્રીજું દ્રવ્ય આકાશ, અનંત પ્રદેશોનું બનેલું છે. અનંત આકાશના લોકાકાશ અને અલોકાકાશ બે વિભાગ છે. જે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય પર આધારિત છે. (પૃ. ૨૭).
વિશ્વની પેલે પાર ગતિ અને સ્થિતિનું માધ્યમ નથી તેથી ત્યાં જીવ અને પુદ્ગલો નથી. ગતિ અને સ્થિતિ શક્ય છે, તેથી લોકાકાશમાં વ્યવસ્થા છે. માટે તેને વિશ્વ કહેવાય. તેની પેલે પાર તે વ્યવસ્થા નથી. આ રીતે ધર્મ અને અધર્મ પરિમિત વિશ્વની હદ નક્કી કરનાર છે. તેની પેલે પાર અપરિમિત (અનંત)આકાશ છે.
૧૪ રાજલોક - લોકાકાશ જેને વિશ્વ કહેવાય છે. તે ચારે બાજુથી ઘેરી વળેલા અનંત અનંત અલોકાશની મધ્યમાં આશ્રિત છે. વચ્ચે રહેલા લોકાકાશનો આકાર કમરે હાથ દઈ, બે પગ પહોળા કરી, ફુદડી ફરતા માણસ જેવો છે. (જુઓ ચિત્ર) વિશ્વની ટોચે માથાના સ્થાને સિદ્ધશિલા છે. તેની ઉપર શ્રી સિદ્ધપરમાત્માના આત્માઓ સ્થિત છે. આ ઉપરના