________________
૨૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન માલ્વિા (શ્રી ભગવતી સૂત્ર ૨/૧૩ સૂ. ૪૮૪) અર્થ : અવકાશ આપવો તે આકાશનું કાર્ય છે.
कालतः शाश्वतं वर्णादिभिर्मुक्तं च भावतः अवगाहगुणं तच्च TUતો વિતં નિનૈ: (લોકપ્રકાશસર્ગ ૨-૪૦) અર્થ :- આકાશ કાળથી શાશ્વત છે. ભાવથી વર્ણાદિથી રહિત છે. તથા અવકાશ આપવાના ગુણ(સ્વભાવ)વાળું જિનેશ્વરોએ કહ્યું છે.
આકાશ, દરેક પદાર્થોને રહેવા માટે જગ્યા આપે છે. આકાશ, પદાર્થોને તેમની જાતે પ્રવેશવા દે છે, જેમ પાણી હંસને. જો કે અહીં આ દૃષ્ટાંતને સીધે સીધું સરખાવી ન શકાય. કારણ કે હંસને જગા આપવા માટે પાણી અમુક પ્રમાણમાં ખસી જાય છે, અને હંસને જગા આપે છે. જ્યારે આકાશ પોતે ખસતું નથી. તેનો અવગાહ છે, પણ આકાશ જગા રોકતું નથી. (કોઈપણ પદાર્થે રોકેલી જગાનો વિસ્તાર હોય, તેને માટે અવગાહ શબ્દ પ્રયોગ છે.) પોતે લેશમાત્ર ચલિત થયા વિના કે, ખસ્યા વિના આકાશી પદાર્થોને પોતાનામાં સમાવી લે છે, તે પદાર્થોને પ્રવેશવા દે છે. દરેક પદાર્થો આકાશમાં અંતઃપ્રવેશ પામીને રહે છે. પોતે સ્થિર રહી અન્ય પદાર્થોને જગા (સ્થાનરહેવા માટે આધાર) આપવાનો સ્વભાવ ધરાવે છે. ગતિ અને સ્થિતિના કારણ તરીકે આકાશને નહિ માનવાનું કારણ:
વિશ્વના ધટક ભૂત ૬ દ્રવ્યોમાંથી આકાશ બાકીના પાંચને રાખે છે. આ પાંચે સાથે રહેલું છે, તે લોકાકાશ છે. પરંતુ તે સંપૂર્ણ આકાશનો એક ભાગ છે. લોકની પેલેપાર અનંત આકાશ અલોકાકાશ છે. આ અનંત અલોકાકાશની મર્યાદામાં સજીવ કે અજીવ કોઈપદાર્થ નથી. લોકાકાશની હદ આ પાંચથી નક્કી થાય છે. હદની બહાર ધર્મ અને અધર્મ નહીં હોવાથી તે હદને વટાવીને કોઈ જીવ કે પુદ્ગલનો કણીયો પણ ન જઈ