________________
૨૪.
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ધર્માસ્તિકાયદ્રવ્ય બળથી ગતિ કરાવતું નથી પણ ગતિવાળા દ્રવ્યોને જરૂરી માધ્યમ પૂરું પાડે છે. તે સ્વયં કોઈ ક્રિયા કરતું નથી પરંતુ તેના વિના હલન-ચલનની ક્રિયા શકય બનતી નથી. ધર્માસ્તિકાયનું વિશેષ સ્વરૂપ બતાવતાં શ્રી લોકપ્રકાશ ગ્રંથ (સર્ગ-૨-૧૭)માં કહ્યું છે કે
वर्णरूपरसैः गंधस्पर्शः शून्यश्च भावतः ।
गत्युपष्टम्भधर्मश्च गुणतः स प्रकीर्तितः ॥ અર્થ :- ધર્માસ્તિકાયદ્રવ્ય, ભાવથી, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે અને ગુણથી, ગતિ કરવામાં સહાય આપવાના સ્વભાવવાળું છે.
અહીં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે, પ્રસ્તુત વર્ણનમાં ધર્મ શબ્દ, ધર્માસ્તિકાય નામનું સ્વતંત્ર દ્રવ્ય, એ અર્થમાં લેવાનો છે. સામાન્ય રીતે લોક વ્યવહારમાં જે અર્થમાં સમજવામાં આવે છે તેનાથી તદ્દન અલગ વિશિષ્ટ અર્થમાં ઉપયોગ થયો છે. સામાન્ય રીતે ધર્મશબ્દનો અર્થ “ફરજ” અથવા “પવિત્ર કર્મો કર્યા છે. અહીં તેને ગતિનું માધ્યમ એવું છ દ્રવ્યમાંનું અચેતનદ્રવ્ય કહ્યું છે. અધર્માસ્તિકાય:
fથર સંવાળો દો ય (શ્રીનવતત્ત્વ ગાથા-૯) અર્થ :-સ્થિરતાના સ્વભાવવાળો અધર્મ છે.
स्थितिपरिणतानां जीवपुद्गलानां स्थितिलक्षणकार्यं प्रति अपेक्षाRUાન વ્યપ્રિય (શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ૨૮-૯ બ્રહવૃત્તિ)
અર્થ - સ્થિર રહેવાવાળા જીવ અને પુદ્ગલને તેમાં અપેક્ષા કારણવડે ઉપયોગી થાય તેને અધર્માસ્તિકાય કહે છે.
આ અધર્મદ્રવ્ય પણ અજીવ, અમૂર્ત, નિષ્ક્રિય અને અખંડ છે. દરેક પદાર્થને સ્થિર રહેવા માટે તે માધ્યમ બને છે. જેવી રીતે ધર્માસ્તિકાય ગતિનું માધ્યમ છે, તેવી રીતે અધર્માસ્તિકાય સ્થિતિનું માધ્યમ છે. તેને સમજવા દષ્ટાંત જોઈએ તો, પૃથ્વી(જમીન) જેમ ઊભા રહેવામાં માધ્યમ