________________
૩પ૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વર્ણાદિ-૪ ગુણો સ્થાયી રહેવાના, અને તેમાં કઠિન આદિ ૨૦ પેટાભેદ જે પર્યાયો (અવસ્થા કે રૂપાંતરો) છે તે બાદલાયા કરશે. દા.ત. માટીમાંથી ઈંટ, ઈંટો ગોઠવીને દીવાલ, દીવાલો મળીને મકાન બનાવાય છે, કાળાંતરે પાછા તે બધા સ્વરૂપો નાશ પામી માટીમાં મળી જાય છે. આ રીતે માટીના ઈંટ, દીવાલ, મકાન અને માટી એ બધા રૂપાંતરો છે, આ બધા બાહ્ય આકાર આદિના ફેરફારોને પર્યાયો કહેવાય છે.
તેમજ તેઓના ગુણના ફેરફારને પણ પર્યાય કહેવાય છે. દા.ત. કાળી માટીના ઘડાને પકાવવાથી લાલરંગનો (વર્ણગુણના પર્યાયમાં પરાવર્તન) થયો. ધૂપ સળીના ધુમાડાની હવા સુગંધવાળી (ગંધગુણના પર્યાયમાં પરાવર્તન) બની. દૂધમાં સાકર ઓગળવાથી ગળ્યું (સ્વાદરસગુણના પર્યાયમાં પરાવર્તન) થયું. પત્થર ઘસવાથી લીસો (સ્નિગ્ધસ્પર્શગુણના પર્યાયમાં પરાવર્તન) થયો. આ બધી પ્રક્રિયામાં સ્પર્શ, ગંધ, સ્વાદ (રસ) વિગેરે મૂળગુણો સ્થાયી રહ્યા, અને તેના પેટાભેદરૂપે પર્યાયોમાં પરિવર્તન આવ્યું. એટલે કે પર્યાયો બદલાયા. આ રીતે જગતના સર્વ પુદ્ગલપદાર્થોમાં ગુણો સદા સ્થાયી હોય છે, અને પર્યાયો બદલાતા રહે છે. - જીવમાં જ્ઞાનાદિ ગુણો સ્થાયી છે, ઉપયોગાદિ પર્યાયો બદલાયા કરે છે:- (પૃ. ૩૬૮થી ૩૭૫)
જ્ઞાન (વિશેષ બોધ), દર્શન (સામાન્ય બોધ), ચારિત્ર (આત્મિક સુખ), વીર્ય (શક્તિ), આ ૪ જીવ (આત્મા)ના મુખ્યગુણ છે. દ્રવ્ય અને ગુણ બંનેનો અભેદ હોય છે. એટલે કે, ગુણી (દ્રવ્ય)માં ગુણો સદા સંયુક્ત (ઓતપ્રોત કે એકરસ) હોય છે. જ્ઞાનાદિ-૪ આત્મદ્રવ્યના ગુણો છે, તે સતતપણે આત્મામાં હોય છે. દા.ત. આત્માનો જ્ઞાનગુણ સતત પ્રવાહ રૂપે વર્યા કરે છે. પરંતુ જ્ઞાનના ઉપયોગમાં પરાવર્તન થાય છે. જ્ઞાનનો વિષય (એટલે કે, આત્મા જેનું જ્ઞાન કરે છે તે પદાર્થ), બદલાવાથી (અથવા આત્મા બીજા પદાર્થનું જ્ઞાન કરવા લાગે, તેથી) ઉપયોગ બદલાયો તેમ કહેવાય.