________________
(૬૧) સૂત્ર - ૪૦-૪૧ :- ગુણની વ્યાખ્યા પરિણામની વ્યાખ્યા.
(૬૧) સૂત્ર - ૪૦-૪૧ :- ગુણની વ્યાખ્યા પરિણામની વ્યાખ્યા.
--
→ કોઈ દ્રવ્ય, ગુણ વગરનું નથી. પરંતુ ગુણો, ગુણ વગરના છે. →> દ્રવ્ય, ગુણથી ઓળખાય. પરંતુ ગુણને ઓળખવા બીજા ગુણની જરૂર નથી. તે સ્વયં ઓળખાય છે.
ગુણો સદા સ્થાયી હોય છે, પર્યાયો બદલાયા કરે છે.
૩૫૩
→ પરિવર્તનોનો એક સ્થાયી આધાર હોય છે. → જ્ઞાનગુણ, એ આત્મદ્રવ્યની મોનોપોલી છે.
द्रव्याश्रया निर्गुणा गुणाः ॥४०॥
અર્થ :- જે દ્રવ્યમાં સદા રહેતા હોય અને સ્વયં ગુણોથી રહિત હોય તે ગુણ.
→ કોઈ દ્રવ્ય, ગુણ વગરનું નથી. પરંતુ ગુણો, ગુણ વગરના છે.
વિશ્વના ઘટકભૂત ૫ દ્રવ્યો, તેનું સ્વરૂપ અને કાર્ય જોઈ આવ્યા. દ્રવ્યોમાં રહેનારા ગુણો હોય છે. દા.ત. પુદ્ગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આ-૪ ગુણો છે. જીવનો ચેતના ગુણ છે. તે પણ ૪ પ્રકારે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય. એ ગુણો છે. ગુણ અને ગુણી (દ્રવ્ય)નો અભેદ સંબંધ છે. એટલે કે દ્રવ્યમાં ગુણો, ઓતપ્રોત થઈને રહેલા હોય છે. કોઈદ્રવ્ય ગુણ વગરનું નથી, અને ગુણ દ્રવ્યવિના ક્યાંય નહિ મળે. માટે ગુણોને દ્રવ્યાશ્રયા: (દ્રવ્યનો અશ્રય કરનાર) કહ્યા વળી ગુણનું બીજું વિશેષણ નિર્દુળા: (ગુણ વગરના) આપ્યું. ગુણમાં બીજો કોઈ ગુણ રહેતો નથી. એટલે કે ગુણો ગુણ વગરના હોય છે.