________________
૩૪૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
[
(૬૦) સૂત્ર - ૩૯ - કાળનું પ્રમાણ
]
> કાળના પ્રારંભિક એકમ (અવિભાજ્ય અંશ)ને જૈનપરિભાષામાં
સમય કહે છે. – “પલ્યોપમ', “સાગરોપમ”, “પુદ્ગલપરાવર્ત' વિગેરે કાળના
દીર્ઘતમ માપ છે. - મીલી, માઈક્રો, નેનો, પીકો, ફેસ્ટો, એટો અને પ્લાન્ક સેકંડ
આધુનિક વિજ્ઞાનના કાળના સૂક્ષ્મ વિભાગો છે.
सोऽनन्तसमयः ॥३९॥
અર્થ - કાળ અનંત સમયવાળો છે. 2 કાળના સઘળા ભેદોનો પ્રારંભિક એકમ-અવિભાજ્ય અંશ-સમય:
વર્તમાન સમય (કાળનો સૂક્ષ્મ અવિભાજય અંશ) એક છે, ભૂતકાળ અનંત છે, જે પસાર થઈ ગયો છે, અને ભવિષ્યકાળ પણ અનંત છે, જે વર્તમાનરૂપે થવાનો છે. જેમ પુદ્ગલનો અવિભાજય અંશ (અંતિમ કણ જે નિશ્ચયપરમાણું) છે, આકાશ, ધર્મ, અધર્મનો પણ અવિભાજય અંશ છે, (જેને પ્રદેશ કહે છે.) તેમ કાળનો અવિભાજ્ય અંશ છે, તે સમય છે. આવલિકા, મુહૂર્ત વિગેરે કે સેકંડ, મિનિટ વિગેરે સંખેય અસંખ્યય અને અનંતકાળ આદિ સઘળા કાળના ભેદોનો પ્રારંભિક એકમ, જે પરમસૂક્ષ્મ છે, તેની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે,
तत्र परमसूक्ष्मक्रियस्य सर्वजघन्य गति परिणतस्य परमाणोः स्वावगाहन क्षेत्र व्यतिक्रमः समय इत्युच्यते परमदुरधिगमोऽनिर्देश्यः । तं हि भगवन्तः परमर्षयो केवलिनो विदन्ति, न तु निर्दिशति परम