________________
(૫૯) સૂત્ર - ૩૮ - કાળનું સ્વરૂપ
૩૪૫ જ થાય છે. અચરમાવર્તકાળમાં જીવ અધ્યાત્મ પ્રગતિ સાધી શકતો નથી. આ રીતે કાળ દરેક કાર્ય માત્રની સિદ્ધિમાં ભાગ ભજવે છે.
કાળ કોઈ પરિસ્થિતિ સંયોગોને જાણતો નથી. મરવાની ઇચ્છા હોય તેને, કાળ બાકી હોય તો, મરવા પણ દેતો નથી. તેમજ કાળ પહોંચી ગયો હોય તો હજી જીવનમાં ઘણું જોવાનું, જાણવાનું અને માણવાનું મન હોય, અને તે માટે માંડ જીવનમાં અવકાશ મળ્યો હોય, પણ કાળ ઉપાડી લે છે. કાળને કોઈ પકડી શકતું નથી, રોકી શકતું નથી. કાળને તેની પોતાની મસ્તી છે. બસ તેની મસ્તીમાં રમ્યા કરે છે.
અનંત શક્તિવંત શ્રી તીર્થંકર પરમાત્મા જેવા પરમેશ્વર પણ જ્યાં સુધી, હજી સર્વકર્મ મુક્ત બની સિદ્ધિ ગતિ નથી પામ્યા, ત્યાં સુધી તેઓ પણ કાળની અસરથી મુક્ત નથી. કાળ ઉપર કોઈનું સામ્રાજ્ય ચાલતું નથી. આ વાસ્તવિકતાને ભગવાન શ્રી મહાવીરસ્વામિએ પોતે દોહરાવી હતી. પ્રભુનો અંત સમય નજીક હતો તે સમયના ગ્રહો જૈનશાસનનું અનિષ્ટ થવાના સૂચક હતા, તે જાણી શ્રી સૌધર્મેન્દ્રએ પ્રભુને ક્ષણભર આયુષ્યકાળ વધારવા વિનંતિ કરી, જેથી દુષ્ટગ્રહ પસાર થઈ જતાં અનિષ્ટ ટાળી શકાય. પણ તે વખતે પણ પ્રભુએ તે વાત અશક્ય જણાવી. આયુષ્યકાળને કોઈ વધારી શક્યું નથી. પરંતુ પ્રભુ સર્વકર્મથી મુક્ત બની, પુદ્ગલના સર્વબંધનોથી મુક્ત બની સિદ્ધાવસ્થાને પામ્યા, એટલે હવે તેમને કાળની કોઈ અસર નથી. તેઓ કાળથી પર થઈ ગયા.
– સમય અને પૈર્ય બે એવા હથિયાર છે જેનાથી કોઈપણ જંગ જીતી શકાય છે. (લિયો ટોલ્સટોય)
* તમે ક્યારેક મોડા પડી શકો છો, સમય ક્યારેય મોડો નહિ પડે.
-> પસાર થતા સમયને બીજીવાર મેળવવો અઘરો છે. (બેન્જામીન ફ્રેન્કલીન)