________________
(૫૭) સૂત્ર-૩૭:- દ્રવ્ય, તેમજ ગુણ અને પર્યાય
૩૨૯ દ્રવ્યને આપણે સીધેસીધું જોઈ, જાણી શકતા નથી. ગુણો અને પર્યાયોદ્વારા દ્રવ્યને ઓળખીએ, છીએ. દા.ત. ઘડો, કબાટ, માટી, ઈંટ, ઘર, શરીરો વિગેરે પુદ્ગલદ્રવ્યો છે. અહીં વિચારીએ તો, આપણે ઘડાને જોયો, જાણ્યો એટલે ઘડાના રૂપ, રંગ, સ્પર્શ, આકાર વિગેરે જ જાણ્યા - જોયા. જે રૂપરંગાદિ જાણ્યા જોયા, તે તો ઘડાના ગુણો અને પર્યાયો છે, પરંતુ ઘડો દ્રવ્યનું આપણને પ્રત્યક્ષ થતું નથી.
લાલરંગ કે પીળારંગ, લુખસ્પર્શ અને મોટુંપેટ, નાનુંભ્યો, આકાર ઇત્યાદિ જે આપણને દેખાય છે, તે તેના પર્યાય છે. જયારે તે ઘડાના ઠીકરા થઈ જાય, ત્યારે પણ તેના રંગ, આકાર આદિ જ પ્રત્યક્ષ હોય છે. તે પણ માટી કે ઠીકરા વિગેરે, દ્રવ્યના પર્યાયો છે. તે ગુણો અને પર્યાયોનો આધાર, માટી કે ઠીકરા વિગેરે વસ્તુઓ (દ્રવ્યો) સીધેસીધી આપણે પ્રત્યક્ષ નથી કરી શકતા. વળી માટી, ઠીકરા કે ઘર, કબાટ, ઈંટ, વાદળ, પાણી, નદી, સમુદ્ર વિગેરે સઘળા પણ, મૂળ પુદ્ગલપદાર્થના અવાંતર પર્યાયો છે. ઈદ્રિયોદ્વારા ગુણો અને પર્યાયો જ જણાય છે, મૂળદ્રવ્ય નહિ -
ઉપર જણાવેલા સર્વે મુગલપદાર્થના સ્પર્શ, ગંધ, રસ, વર્ણ આ-૪ ગુણો છે. તેના ૨૦ પેટાભેદ (કઠીન, મૂ, આદિ ૮ સ્પર્શ, સુરભિ અને દુરભિ ૨ ગંધ, પીળો, સફેદ વિગેરે ૫ વર્ણ, અને તીખો, ગળ્યો વિગેરે પ રસ) એ તેના પર્યાયો છે. તેમજ માટી, ઘર, ઈંટ વિગેરે પુગલની અવાંતર અવસ્થાઓ છે, એટલે તે પણ, પર્યાયો છે. તે સઘળાનું પ્રત્યક્ષ પણ, તેના સ્પર્ધાદિ ૪ ગુણ, અને ૨૦ પેટાભેદરૂપ પર્યાયો છે, તેનાદ્વારા જ થાય છે.
એટલે ભાવાર્થ એ થયો કે જગતમાં સઘળી ભિન્ન ભિન્ન અને વિવિધ પ્રકારની (આંખ, કે કોઈપણ ઇન્દ્રિયથી જણાતી) ચીજો પુગલપદાર્થના રૂપાંતરો છે, તેને તેના ગુણો (સ્પર્શદિ-૪), અને પર્યાયો (કઠીન, સફેદ,