________________
(૫૬) સૂત્ર-૩૨થી ૩૫ -પુદ્ગલોનો પરસ્પરબંધ
૩૨૭ જ્યારે સમાનગુણ રૂક્ષનો અને સ્નિગ્ધ (એટલે કે, સમાનગુણ વિસદેશ) નો બંધ થાય ત્યારે સમગુણ સ્નિગ્ધ-નિગ્ધનો કે રૂક્ષ-રૂક્ષનો બંધ થતો નથી. તે ૩૪મા સૂત્રમાં જણાવ્યું છે. તેથી તેની વિચારણા કરવાની રહેતી નથી.) કોઈવખત રૂક્ષ, સ્નિગ્ધને રૂક્ષરૂપે પરિણમાવે (રૂક્ષરૂપે કરે), તો કોઈવખત સ્નિગ્ધ, રૂક્ષને સ્નિગ્ધરૂપે પરિણમાવે. જ્યારે દ્વિગુણ આદિ વિષમગુણ રૂક્ષ-સ્નિગ્ધ (વિદેશ) તેમજ સ્નિગ્ધ-સ્નિગ્ધનો કે રૂક્ષ-રૂક્ષ (દેશ)નો બંધ થાય ત્યારે અધિકગુણ, હનગુણને પોતાના રૂપે પરિણાવે. દા.ત. ત્રિગુણ સ્નિગ્ધનો, એકગુણ સ્નિગ્ધ સાથે, કે એકગુણ રૂક્ષ સાથે બંધ થાય ત્યારે જે અંધ બને તે, ત્રિગુણ સ્નિગ્ધ બને છે.
(Jainism the oldest living religion Yanshiel) ‘સિંધુ નદીની ખીણમાં ખોદકામ કરતાં મળી આવેલી મોહન - જો ડેરો અને હડપ્પા સંસ્કૃતિની યુગપ્રવર્તક પ્રાગઐતિહાસિક ઘટના જૈન ધર્મની પ્રાચીનતા વિષે નવો અને અર્થપૂર્ણ પ્રકાશ પાથરે છે. સર જોન માર્શલ ભારપૂર્વક જણાવે છે કે, “સિંધુ નદી અને વૈદિક સંસ્કૃતિની તુલના અસંદિગ્ધપણે દર્શાવે છે કે તેઓમાં એકબીજા સાથે કોઈ સંબંધ ન હતો. ઔપચારિક રીતે વૈદિક ધર્મ મૂર્તિપૂજાની વિરુદ્ધ છે. મોહન-જો-ડેરોના ઘરોમાં અગ્નિની વેદી સ્પષ્ટ રીતે જણાતી નથી. (મોહન જો ડેરો પુસ્તક-૧)
ડૉ. કાળીદાસ નાગ કહે છે કે, “જે લોકો ઇતિહાસ જાણવાનો દાવો કરે છે, તેમાંના કોઈ એટલું જાણતા નથી કે બુદ્ધ પહેલાં લાખો અને કરોડો વર્ષો પૂર્વે, એક બે નહિ પરંતુ કેટલાક જૈન તીર્થકરોએ અહિંસાના ધર્મસંદેશાનો પ્રચાર કરેલો. જૈનધર્મ અતિ પ્રાચીન ધર્મ છે અને તેણે ભારતીય સંસ્કૃતિને ઘણું આપ્યું છે.” (અને કાંત૮૬, ૫ ૨૨૬) વળી ડૉ. જેકોબી એવો પણ અભિપ્રાય ધરાવતા કે જૈન ધર્મ ભારતના શરૂઆતના તત્ત્વજ્ઞાન સાથે સંકળાયેલો હતો. (જૈન ગેઝેટ ૧૯-૨૨) ભારતીયો દ્વારા સંશોધન કરવામાં આવેલા અણુસિદ્ધાંતના વિકાસ વિષે પ્રવચન કરતાં બીજા સુપ્રસિદ્ધ વિદ્વાન જણાવે છે કે, ““ઉપનિષદોમાં જાળવી રાખવામાં આવેલા અતિ જૂના તાત્ત્વિક ચિંતનમાં આપણને અણસિદ્ધાંતની નિશાની સુદ્ધાં પણ જોવા.