SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) સૂત્ર-૩૨થી ૩૫ઃ-પુદ્ગલોનો પરસ્પરબંધ ૩૨૧ (૫૬) સૂત્ર-૩૨થી ૩૬ :- પુદ્ગલોનો પરસ્પરબંધ -- પુગલો “સ્નિગ્ધ-રૂક્ષ ગુણને કારણે પરસ્પર સંયોજાઈને જગતના સઘળા વિવિધ પદાર્થો રચાય છે. વીજળી સ્નિગ્ધ-રૂક્ષ ગુણને કારણે પેદા થાય છે. - આધુનિક વિજ્ઞાનમુજબ અણુંઓનું બંધન. સ્નિગ્ધ અને રૂક્ષ જો, (૧) જઘન્ય અને (૨) સમાન અંશવાળા હોય, તો તેઓનો પરસ્પર બંધ ન થાય. પરંતુ (૩) બે વિગેરે અસમાન અંશવાળા હોય તો, તેઓનો બંધ થાય. स्निग्धरुक्षत्वाद्बन्धः ॥३२॥ અર્થ :- (પુગલ પરમાણુઓ) સ્નિગ્ધ, અને રૂક્ષ સ્પર્શવાળા હોવાથી (પરસ્પર સ્પર્શલા હોય તો) બંધ થાય છે. - પુદ્ગલોનો પરસ્પર બંધ સ્નિગ્ધ.અને રૂક્ષ ગુણને કારણે થાય છે : બંધ એટલે પુલોનો પરસ્પર સંશ્લેષ, સંયોજન. એટલે કે અંગગીભાવ-એકરસપહાવડે જોડાવું, સંયોજન પામવું તે. પરમાણુંઓમાં, ઘી-તેલમાં હોય છે, તેવા પ્રકારની ચીકાશ, કે રાખની માફક લુખાપણું હોય છે. તે સ્પર્શગુણના ૮ ભેદમાં, સ્નિગ્ધ અને રૂક્ષ તરીકે ઓળખાય છે. આ ગુણના કારણે પરમાણુઓ પરસ્પર બંધાઈ (સંયોજન પામી)ને સ્કંધો (Molecules) બને છે, અને સ્કંધો બંધાઈને આ જગતના વિવિધ પદાર્થો (પૃથ્વી, પાણી, વૃક્ષો, જીવોના શરીરો વિગેરે આંખેથી જે દેખાય છે તે, તેમજ સઘળી ૨૬ વર્ગણાના પુદ્ગલસ્કંધો) રચાય છે. (૧) બે પરમાણુંઓનો, (૨) સ્કન્ધ અને પરમાણુંનો, અને (૩)
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy